સુરત : તારીખ ૧૦ જૂનના રોજ, નવચેતન અદાણી વિદ્યાલય, જુનાગામ (શિવરાજપુર) નો “પ્રવેશ-ઉત્સવ” સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. ભગીરથસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો હતો. શાળામાં નવા પ્રવેશ મેળવનાર ૪૦ વિદ્યાર્થીઓને પુસ્તકો, ગણવેશ અને અન્ય શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં દરેક બાળક અને તેના માતાપિતાને ફળદાયી છોડનો એક છોડ આપવામાં આવ્યો હતો જેનો ઉછેર તેમના દ્વારા કરવામાં આવશે.
જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ .ભગીરથસિંહ પરમાર ધ્વારા અદાણી સંચાલિત વિવિધ શાળાઓ અને અદાણી વિદ્યા મંદિર, ઉત્થાન પ્રોજેક્ટ અને ઉડાન પ્રોજેક્ટનું સંચાલન કરતાં અદાણી ફાઉન્ડેશન થકી શિક્ષણમાં થતાં ઉમદા પ્રયાસોના સાક્ષી બનવાનો આનંદ વ્યક્ત કર્યો. તેમણે ગુજલીશ (ગ્લોબલ માધ્યમ), કૌશલ્ય લક્ષી વર્કશોપ અને અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત નવચેતન વિદ્યાલય, હજીરામાં થતી શૈક્ષણિક પહેલની પ્રશંસા કરી હતી.
અદાણી નવચેતન વિદ્યાલયના પ્રયાસોના પ્રોત્સાહન માટે નવચેતન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, વિદ્યાર્થીના વાલીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દરમિયાન જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ.ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કે “શાળા એ તકોની દૂરબીન છે, જ્યાં વિદ્યાર્થીઓ તેમના જુસ્સાની શોધ કરી શકે છે, તેમની પ્રતિભા શોધી શકે છે, અને અનંત શક્યતાઓના દરવાજાને અનલૉક કરી શકે છે.”