By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ગાંધીનગર ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા માછીમાર સમુદાયની સફળ ગાથાઓને ઉજાગર કરતી પુસ્તિકાનું વિમોચન
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > અમદાવાદ > ગાંધીનગર ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા માછીમાર સમુદાયની સફળ ગાથાઓને ઉજાગર કરતી પુસ્તિકાનું વિમોચન
અમદાવાદગાંધીનગરગુજરાતસિટી ન્યૂઝ

ગાંધીનગર ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા માછીમાર સમુદાયની સફળ ગાથાઓને ઉજાગર કરતી પુસ્તિકાનું વિમોચન

Hotline News
Last updated: October 16, 2024 6:02 PM
Hotline News - Editor Published October 16, 2024
SHARE

અમદાવાદ: અદાણી ફાઉન્ડેશન સમાજના વિમુખ પરિવારો પ્રત્યે સંવેદના અને સમર્પણ ધરાવે છે. મુંદ્રાના માછીમાર સમુદાયના ઉત્થાન માટે ફાઉન્ડેશન એડીચોટીનું જોર લગાવી નોંધનીય પરિવર્તન લાવવામાં સફળ રહ્યું છે. માછીમાર સમુદાયની સફળ પ્રેરણાદાયી ગાથાઓ આધારિત એક વિશિષ્ટ પુસ્તકનું ગાંધીનગર ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું. ફિશરીઝ વિભાગ ગાંધીનગર ખાતે વિભાગના ડિરેક્ટરે પુસ્તક વિમોચન કરતાં અદાણી ફાઉન્ડેશનના યોગદાનને વખાણ્યું હતું. 

મુંદ્રાની માછીમાર વસાહતોમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા અંદાજે 65૦૦ લોકોની જીવનશૈલી સુધારવા વિવિધ યોજનાઓ અમલી કરાવવામાં આવી છે. આ પુસ્તક એવા માછીમારોનું જીવન દર્પણ છે, જેઓ અત્યંત વિકટ પરિસ્થિતિઓનો સામનો કરીને નવી ઊંચાઈઓએ પહોંચ્યા છે, અને સમુદાય માટે નવી આશાનું શમણું બનીને આવ્યા છે. પુસ્તકમાં સામેલ કથાકારો સમુદાયના આદર્શ આગેવાનો છે, જેમણે લોકોને સુયોગ્ય માર્ગદર્શન આપ્યું છે.

ફિશરીઝ ડિપાર્ટમેન્ટના ડાયરેકટર ડૉ. નરેન્દ્ર મીણાએ અદાણી ફાઉન્ડેશનને અભિનંદન પાઠવતા ઉપસ્થિત માછીમાર સમુદાયનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે “સરકાર શ્રીની કેટલીય યોજનાઓ માછીમાર સમાજના ઉત્કર્ષ માટે ઉપયોગી છે. અદાણી ફાઉન્ડેશન તેને પુલ બનીને લાભાર્થીઓ સુધી પહોચાડવામાં ઉત્તમ કામગીરી કરી રહ્યું છે”. અદાણી વિદ્યા મંદિર ભદ્રેશ્વર ના ભૂલકાઓ સાથે પ્રોત્સાહક સંવાદ કરતા તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં અભ્યાસનું મહત્વ પણ સમજાવ્યું હતું.

ચેરપર્સન ડૉ. પ્રીતિબેન અદાણીના માર્ગદર્શન હેઠળ કાર્યરત અદાણી ફાઉન્ડેશનનો ઉદ્દેશ માછીમાર સમુદાયના લોકોને શિક્ષણ, આરોગ્ય અને આધુનિક કૌશલ્ય સાથે સક્ષમ બનાવીને નવી પેઢીને અનુકૂળ અને આધુનિક જીવન તરફ માર્ગદર્શન કરવાનો છે. માછીમાર સમાજના લોકોને મળતા પ્રિતીબેને તેમને પ્રોત્સાહન સહ શુભેચ્છાઓ પાઠવી હતી. 

આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર વસંત ગઢવીએ જણાવ્યું હતું કે  “અમે 28+ વર્ષોથી મુન્દ્રામાં સામાજિક બદલાવ માટે સખત પ્રયત્નો કરી રહ્યા છીએ. માછીમાર સમુદાયોનું જીવનધોરણ ઉંચુ લાવવામાં અમારો પ્રવાસ સંતોષકારક બની રહ્યો છે. અમારા શૈક્ષણિક કાર્યક્રમો, આરોગ્યલક્ષી સુવિધાઓ અને કૌશલ્ય વિકાસની પહેલોથી તેઓને ફાયદો થયો છે. મને આનંદ છે કે અમારા પ્રયાસો આગામી પેઢીને શિક્ષિત જ નહીં, પરંતુ તેમનું ભાવિ ઉજ્વળ બનાવતી વૈકલ્પિક આજીવિકાની તકો મેળવવા સક્ષમ બનાવી રહ્યા છે. માછીમાર સમુદાયના લોકોને મળવા અમૂલ્ય સમય ફાળવવા બદલ હું ડૉ. નરેન્દ્રકુમાર મીણાનો આભાર માનું છું“.

અદાણી ફાઉન્ડેશન દ્વારા માછીમાર પરિવારો માટે કૌશલ્ય વિકાસના વિવિધ કાર્યક્રમો શરૂ કરી ફિશિંગમાં આધુનિકતા કંડારવામાં આવી છે. યુવાઓને ટેકનિકલ અને વ્યવસાયિક કૌશલ્યથી સુસજ્જ બનાવવા કૌશલ્ય વિકાસ કેન્દ્ર દ્વારા રોજગાર અને આજીવિકા મેળવવામાં મદદ કરાઈ છે. માછીમારોના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરી અદાણી વિદ્યામંદિર તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવતા માનવ મૂલ્યો વિકસાવે છે.

અદાણી ફાઉન્ડેશનની આ પહેલ એવા લોકોની શ્રમશક્તિ ઉજાગર કરે છે જેઓ સંઘર્ષમય જીવન બાદ ઉલ્લેખનીય પરિવર્તન લાવ્યા છે. માછીમાર સમુદાયની સફળતાની વાર્તાઓ એ વાતની જીવંત સાક્ષી છે, કે દરેક વ્યક્તિ જો યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન પામે તો તેનું જીવન કેટલું સુદ્રઢ બની શકે છે.

You Might Also Like

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

હિન્ડનબર્ગ દ્વારા થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે અદાણી કંપનીઓએ તેજીનો વધારો કર્યો

અદાણી પાવરે એક મોટો ઉછાળો, એક વર્ષમાં 126%નો ઉછાળો, માર્કેટ કેપમાં ઇન્ફોસિસને પાછળ છોડી દીધું

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
મહાકુંભમાં થયેલી દુર્ઘટના પછી, હવે વસંત પંચમી સ્નાન પર ધ્યાન કેન્દ્રિત : જડબેસલાક યોજના
Hotline News Hotline News January 31, 2025
અનંત અંબાણીના મહેમાન બનેલા મેસીએ શિવ પૂજા અને મહા આરતી કરી
કોંગ્રેસ સાથે કોઈ લેવા-દેવા નથી, AAP એકલા હાથે લડશે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ
60થી વધુ ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શક K. C. Bokadia ની નવી ફિલ્મ ‘તીસરી બેગમ’ 22 મેના રોજ થશે રિલીઝ
International Women’s day 2025: અદાણી ફાઉન્ડેશન દ્વારા 1,000 થી વધુ ‘લખપતિ દીદીઓ’નું સન્માન
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsપ્રેસ રિલીઝબિઝનેસ

અદાણી ગ્રીન એનર્જીએ ભરોસાપાત્ર અને સ્વચ્છ ઉર્જાની પહોંચને મજબૂતી બક્ષતી એક જ સ્થળે વિશ્વની સૌથી મોટી ૩.૩૭ GWhક્ષમતાની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ શરૂ કરી

Hotline News Hotline News May 26, 2026
Top News

મુંબઈ ૨૦૪૭ સુધીમાં ઝૂંપડપટ્ટી મુક્ત બનવાનું લક્ષ્ય રાખે છે; SRA ૨૦૩૦ સુધીમાં ૭ લાખ પુનર્વસન ઘરોનું લક્ષ્ય રાખે છે

Hotline News Hotline News May 24, 2026
અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ ખાતે અદાણી એરપોર્ટ અને બાસ્ટિયન હોસ્પિટાલિટી દ્વારા મેઇસન ટ્વેન્ટી-સેવનની શરુઆત

Hotline News Hotline News May 22, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?