નવી વરસાદી પાણીની વ્યવસ્થા DNA કરતા બમણા વિસ્તારને આવરી લેશે
મુંબઈ XX 27 મે: દાદર પૂર્વમાં ખોદાદાદ સર્કલ, માટુંગામાં કિંગ્સ સર્કલ, સાયન રેલ્વે સ્ટેશન જેવા વિસ્તારોમાં ભારે વરસાદ અને ચોમાસામાં ભરતી દરમિયાન વારંવાર પાણી ભરાવાની સમસ્યા રહે છે. ધારાવીના રિડેવલમેન્ટથી આ વર્ષો જૂની ચાલતી સમસ્યાનો ઉકેલ આવશે તેવી અપેક્ષા છે. ધારાવી રિડેવલમેન્ટ પ્રોજેક્ટ (DRP) ના ભાગ રૂપે, આ વિસ્તારમાં વરસાદી પાણીના ડ્રેનેજ નેટવર્કને બદલવામાં આવશે અને અપગ્રેડ કરવામાં આવશે, જેનાથી માત્ર ધારાવીમાં જ નહીં પરંતુ નજીકના વિસ્તારોમાં પણ પૂર જેવી સ્થિતી ઘટાડવામાં મદદ મળશે.
દાદર પૂર્વ, માટુંગા અને સાયન જેવા વિસ્તારોમાંથી વરસાદી પાણી માહિમ ક્રીક દ્વારા અરબિયન સમુદ્રમાં વહે છે, જે ધારાવીમાં ડ્રેનેજ સિસ્ટમમાંથી પસાર થાય છે. જોકે, ધારાવીમાં હાલનું નેટવર્ક જૂનું અને ખરાબ રીતે આયોજનબદ્ધ છે. આના કારણે ચોમાસા દરમિયાન, ખાસ કરીને ભરતી દરમિયાન પાણી ભરાઈ જાય છે. “ધારાવીમાં ડ્રેનેજ સિસ્ટમને મજબૂત અને વિસ્તૃત કરવામાં આવશે,” પુનર્વિકાસ પ્રોજેક્ટથી માહિતગાર સૂત્રએ જણાવ્યું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, “ધારાવીમાં હાલની વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સાયન્ટીક પ્લાનીંગ આધારિત નથી અને વર્ષોથી અસ્તવ્યસ્ત રીતે વિકસિત થઈ છે. ઘણા ભાગોમાં, યોગ્ય વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કાં તો અસ્તિત્વમાં નથી અથવા ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. આનાથી ધારાવીમાં પૂર આવે છે એટલું જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોને પણ અસર થાય છે. DRP હેઠળની નવી ડ્રેનેજ વ્યવસ્થા યોગ્ય એન્જીનીયરીંગ આધરિત વિકસાવવામાં આવશે અને આ સમસ્યાને ઉકેલવામાં મદદ કરશે,”
“ધારાવીમાં વરસાદી પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થાને ગૂંગળાવી દેવામાં આવી છે અને કાંપ, કાદવ, કચરો અને અન્ય વસ્તુઓથી ભરાઈ ગઈ છે, જે તેની વહન ક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે,” તેમણે ઉમેર્યું.
ધારાવી નોટિફાઇડ એરિયા (DNA) 620 એકરમાં ફેલાયેલો છે. નવી વ્યવસ્થા માં ધારાવી નોટિફાઇડ એરિયા DNA કરતા બમણા કદના વિસ્તારને આવરી લેશે. “નવી વરસાદી નિકાલ પાણી વ્યવસ્થામાં ફલ્ડ ગેટનો સમાવેશ થશે, અને ભારે વરસાદ અથવા હવામાન પરિસ્થિતિઓને સમાયોજિત કરવા અને પૂરને રોકવા માટે એક પમ્પિંગ સ્ટેશન વિકસાવવામાં આવશે. સમગ્ર વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા મુંબઈ ક્લાઇમેટ એક્શન પ્લાન 2034 ની માર્ગદર્શિકા અનુસાર વિકસાવવામાં આવી છે,” તેમ સૂત્રોએ જણાવ્યું.