જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ વધી રહ્યો છે અને ભારતે પાકિસ્તાન સામે કડક પગલાનું એલાન કર્યું છે અને પાકિસ્તાન અણુબોમ્બની ધમકી આપી રહ્યું છે ત્યારે ગઈકાલે મધરાત્રે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ મામલો ટાઢો પાડવા ભારતના વિદેશમંત્રી અને પાકિસ્તાનના પીએમ શાહબાઝ સાથે ફોન પર અલગ અલગ વાત કરી હતી.
ત્યારે ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે અમેરિકાના વિદેશમંત્રીને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું હતું કે, પહેલગામ આતંકી હુમલાના દરેક દોષીને અમે સજા અપાવીને રહીશું. વિદેશમંત્રી એસ.જયશંકરે અમેરિકા વિદેશમંત્રીને કહ્યું હતું કે, પહેલગામ આતંકી હુમલાના અપરાધીઓ, સમર્થકો અને યોજનાકારોને ન્યાયના પિંજરામાં લાવવા જોઈએ.
બીજી બાજુ અમેરિકી વિદેશમંત્રીએ પાક.ના પીએમ શાહબાઝ સાથે ફોનમાં વાત કરી હતી. જેમાં શાહબાઝ ભારત પર ઉશ્કેરણીનો આક્ષેપ લગાવી પહેલગામ હુમલા મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં અમેરિકાએ રાજદ્વારી પહેલ શરૂ કરી છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે અલગ-અલગ વાતચીત કરી હતી.
જયશંકર સાથે કયા મુદ્દે વાતચીત થઈ?
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા ટેમી બ્રુસના જણાવ્યા અનુસાર, માર્કો રુબિયોએ ડો. એસ. જયશંકર સાથે વાત કરી અને હુમલા પર ઊંડી સંવેદના વ્યક્ત કરી અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
તેમણે આતંકવાદ સામેની વૈશ્વિક લડાઈમાં ભારત પ્રત્યે અમેરિકાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. અમેરિકાએ ભારત અને પાકિસ્તાન બંનેને દક્ષિણ એશિયામાં તણાવ ઓછો કરવા અને શાંતિ જાળવવા માટે વાતચીત કરવાની અપીલ કરી છે.
શાહબાઝ શરીફને શું કહ્યું?
બીજી તરફ, માર્કો રુબિયોએ શાહબાઝ શરીફ સાથે પણ પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. પાકિસ્તાનના વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદી અનુસાર, શાહબાઝ શરીફે અમેરિકાના વિદેશ મંત્રીને પ્રાદેશિક પરિસ્થિતિ પર પાકિસ્તાનના વલણ વિશે માહિતી આપી હતી. વાતચીત દરમિયાન, શાહબાઝ શરીફે ભારત પર ઉશ્કેરણીનો આરોપ લગાવ્યો હતો.શાહબાઝે
અમેરિકાને શું કહ્યું?
અહેવાલ અનુસાર, શાહબાઝ શરીફે કહ્યું કે, ભારતની ઉશ્કેરણી પાકિસ્તાનને આતંકવાદ, ખાસ કરીને આતંકવાદી જૂથોને હરાવવાના તેના પ્રયાસોથી વિચલિત કરશે. શાહબાઝ શરીફે પહલગામ હુમલા સાથે પાકિસ્તાનને જોડવાના ભારતના પ્રયાસોને પણ નકારી કાઢ્યા અને આતંકવાદી હુમલાની નિષ્પક્ષ તપાસની પાકિસ્તાનની માંગને પુનરાવર્તિત કરી. તેમણે અમેરિકાને અપીલ કરી કે તેઓ ભારતને ’ઉશ્કેરણીજનક નિવેદનો’ ન આપવા કહે. કારણ કે આનાથી તણાવ વધુ વધી શકે છે.