By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    જેમા Sunita williams પૃથ્વી પર ઉતર્યા, એ જ ડ્રેગન કેપ્સ્યુલમાં શુભાંશુ સ્પેસ સ્ટેશન જશે…
    June 6, 2025
    Jio અને Airtel પણ ચિંતામાંઃ ભારતમાં શરૂ થશે એલોન મસ્કની ઈન્ટરનેટ સેવા
    June 6, 2025
    ભારતના હવાઈ મુસાફરી માળખાને મળશે નવી ઉડાન! અદાણી એરપોર્ટ્સને $750 મિલિયનનું આંતરરાષ્ટ્રીય ભંડોળ મળ્યું
    June 4, 2025
    આખી દુનિયા તમારા ચશ્મામાં હશે
    May 29, 2025
    ગેમ ચેન્જર ટેકનિક! બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ જેવા ટેસ્ટ સેલ્ફીથી જ થશે
    May 24, 2025
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: કોઈ પણ નાણાકીય બોજા વિના 10 વર્ષ ચિંતામુક્ત જીવન
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ભારત > કોઈ પણ નાણાકીય બોજા વિના 10 વર્ષ ચિંતામુક્ત જીવન
ભારત

કોઈ પણ નાણાકીય બોજા વિના 10 વર્ષ ચિંતામુક્ત જીવન

Hotline News
Last updated: December 24, 2024 5:22 PM
Hotline News - Editor Published December 24, 2024
SHARE

ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ ગૃહનિર્માણથી પણ આગળ વધીને સાતત્યપૂર્ણ નાણાકીય ભવિષ્ય પ્રદાન કરે છે, પ્રોજેક્ટ ફક્ત ધારાવીકરોને જ નહીં, પરંતુ આસપાસના વિસ્તારોનો પણ વિકાસ થાય તે રીતે તૈયાર કરાયો છે

મુંબઈ: કલ્પના કરો કે તમે નવાનક્કોર ઘરમાં રહેવા જઈ રહ્યા છો, જે આધુનિક માળખાકીય સુવિધાઓ અને સવલતોથી સજ્જ છે અને આવતાં 10 વર્ષ સુધી તમારે મેઇન્ટેનન્સ ચાર્જીસ (જાળવણી ખર્ચ) વિશે જરાયે ચિંતા કરવાની નથી. ગૃહનિર્માણથી આગળ વધીને પોતાના રહેવાસીઓ માટે આર્થિક રીતે ટકાઉ ભવિષ્ય સુનિશ્ચિત કરતી હોય તેવી એક પહેલ – ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું આ વચન છે.

ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ અનોખો છે કારણ કે રહેવાસીઓ પર કોઈ નાણાકીય બોજ નહીં પડે. રાજ્ય સરકારે ધારાવીના પાત્ર રહેવાસીઓને મફત આવાસ આપવાનો નિર્ણય લીધો છે. વધુમાં, સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અથવા ભાડા-ખરીદી યોજના (હાયર-પરચેઝ સ્કીમ) દ્વારા અપાત્ર રહેવાસીઓને સસ્તા આવાસ આપવા માટે પ્રતિબદ્ધ છે – આ બધું સૌથી સસ્તા (પરવડે તેવા) દરે ધારાવીકરોને મહત્તમ લાભો મળી રહે એ રીતે આયોજિત કરાયું છે.

વધુમાં, સરળ સંક્રમણ સુનિશ્ચિત કરવા માટે, રહેવાસીઓને પ્રથમ 10 વર્ષ માટે ઇલેક્ટ્રોમિકેનિકલ જાળવણી ખર્ચ ચૂકવવા પડશે નહીં. આ સમયગાળા દરમિયાન, ડેવલપર સોસાયટીઓની જાળવણીની સંપૂર્ણ જવાબદારી લેશે. ઉપરાંત, રાજ્ય સરકારે પુનર્વસન ઘટકના બિલ્ટ-અપ વિસ્તારના 10% ભાગ કોમર્શિયલ સ્પેસ માટે ફાળવવાની યોજના બનાવી છે, જેનાથી આવક ઉપાર્જન કરતું મોડેલ બનશે.

ભારતમાં સહકારી સોસાયટીઓ માટે સોસાયટીઓની જાળવણી માટે માલિકો અને સભ્યો પાસેથી ચોક્કસ સેવા ચાર્જ વસૂલવો સામાન્ય છે. MHADA ઇમારતોમાં પણ આ જ રીતે અનુસરવામાં આવે છે. જોકે, ધારાવીકર માટે, જાળવણી લગભગ જીવનભર મફત થઈ જશે. પ્રથમ 10 વર્ષ કોઈ જાળવણી ખર્ચ રહેવાસીએ ચૂકવવાનો નથી અને વાણિજ્યિક જગ્યાના 10% મુદ્રીકરણમાંથી મળેલી આવક લાંબા ગાળે તેમના જાળવણી ખર્ચને આવરી શકે છે. આ ઉપરાંત, ડેવલપર દ્વારા પ્રતિ આવાસ વૈધાનિક કોર્પસ ફંડ સક્ષમ અધિકારીને જમા કરવામાં આવશે.

આ નવીન અભિગમથી ધારાવીકર માત્ર વધુ સારા ઘરોનો આનંદ માણશે એટલું જ નહીં પરંતુ આયોજનબદ્ધ, ટકાઉ સમુદાયોમાં ચિંતામુક્ત જીવનશૈલીનો પણ આનંદ માણે, તે સુનિશ્ચિત થશે,” એમ DRP-SRA અધિકારીએ જણાવ્યું હતું. રહેવાસીઓને 24/7 પાણી અને વીજળી, ખાનગી શૌચાલય અને રસોડાઓનો લાભ મળશે – જે તેમની વર્તમાન પરિસ્થિતિઓથી નોંધપાત્ર સુધારો દર્શાવે છે. વર્ષ ૨૦૦૦ પહેલાં સ્થાયી થયેલા લોકોને ૩૫૦ ચોરસ ફૂટના ઘરો મળશે, જે અન્ય ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રોજેક્ટ્સમાં ઓફર કરાયેલાં ઘરો કરતાં ૧૭% મોટાં છે.

પરંતુ ફાયદા હજુ આટલા જ નથી. DRP-SRA અધિકારી જણાવે છે કે “આ પ્રોજેક્ટ ફક્ત ધારાવી જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારના ઉત્થાન માટે હાથ ધરાયો છે. ધારાવીમાં ઘરો માટે અપાત્ર રહેવાસીઓને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)માં વધારાના લેન્ડ પાર્સલ્સ (જમીન ભાગો)માં પુનઃસ્થાપિત કરવામાં આવશે. આ નવાં ટાઉનશીપ શાળાઓ, હોસ્પિટલો, શોપિંંગ સેન્ટરો અને અન્ય આવશ્યક સુવિધાઓથી સજ્જ હશે, જે આસપાસના વિસ્તારોમાં પણ જીવનની ગુણવત્તામાં વધારો કરશે.”

ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના ૨૦૨૨ના ટેન્ડરમાં નાણાકીય અને માળખાગત ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરીને અગાઉના વિકાસ પ્રયાસોની ખામીઓને દૂર કરવામાં આવી છે. હાલના ટેન્ડરમાં ઉપરના માળના રહેવાસીઓ માટે પણ જોગવાઈ છે જેમને સામાન્ય રીતે ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રોજેક્ટ્સ માટે ધ્યાનમાં લેવામાં આવતા નથી. આમ, અનેક રીતે, આ રિડેવલપમેન્ટ ફક્ત રહેઠાણ પૂરતું જ નથી, તે સમાવિષ્ટ, આધુનિક સમુદાયો બનાવવા વિશે છે. તે ફક્ત ધારાવીકરોની સુખાકારીને પ્રાથમિકતા આપતું નથી, પરંતુ નવા ટાઉનશીપની આસપાસના, પડોશના દરેક વિસ્તારોને પ્રેરિત લાભ પણ પ્રદાન કરે છે. આ પ્રોજેક્ટ માનવ-કેન્દ્રિત શહેરી પરિવર્તન માટે એક નવો માપદંડ સ્થાપિત કરશે.

You Might Also Like

શહેરી બાંધકામને પ્રોત્સાહન આપવા અદાણી સિમેન્ટ અને CREDAI વચ્ચે ભાગીદારી

એર ઇન્ડિયા ફ્લાઇટની દુર્ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએઃ ગૌતમ અદાણી

“શાળા એ તકોની દૂરબીન છે”: નવચેતન અદાણી વિદ્યાલયના “પ્રવેશ-ઉત્સવ”માં જિલ્લા શિક્ષણ અધિકારીએ લાગણી વ્યક્ત કરી

‘ધારાવી રિવેમ્પ સર્વે અત્યાર સુધીનો સૌથી પારદર્શક સર્વે છે…’: SVR શ્રીનિવાસ

અદાણી ફાઉન્ડેશને ભરુચના દહેજ અને નેત્રંગમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાત
ચોમાસાના વરસાદ દરમિયાન તમારા પરિવાર સાથે ગુજરાતના આ 6 સ્થળોની મુલાકાત લો
Hotline News Hotline News May 31, 2025
ભરઉનાળે સેકાયા સુરતીઓ: નવસારી, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વીજળી કાપથી હાલાકી
ઉર્મિલા માતોંડકરના લગ્નના 8 વર્ષ પછી પતિ મોહસીન અખ્તર મીર સાથે છૂટાછેડા
આ વર્ષે પણ હવામાન પરિવર્તનના કારણે કાશ્મીરમાં સફરજનના પાકમાં 30 ટકાનો ઘટાડો થયો
હવે સુરતમાં રસાયણમુકત પ્રાકૃતિક ખેતી તરફ જુકાવ વધ્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસભારત

ધારાવી માસ્ટરપ્લાન અલગ-અલગ ફેઝમાં અમલવારી થશેઃ શ્રીનિવાસ

Hotline News Hotline News June 10, 2025
બિઝનેસ

અદાણી ગ્રુપની મોટી સિદ્ધિ, વિશ્વનું સૌથી મોટું કન્ટેનર જહાજ MSC IRINA વિઝિંજામ બંદર પહોંચ્યું

Hotline News Hotline News June 9, 2025
સિટી ન્યૂઝસુરત

અદાણી ફાઉન્ડેશન-હજીરા દ્વારા વિશ્વપર્યાવરણ દિને પર્યાવરણ સંરક્ષણ અંગેની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી

Hotline News Hotline News June 6, 2025
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Adani
  • Gujarat
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • Indian
  • dharavi
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • vadodara
  • PAKISTAN
  • China
  • Kashmir
  • kejriwal
  • beautiful
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?