જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫ (International Yoga Day)ની ઉજવણી પૂર્વે, ભારતભરમાં યોગનો ઉત્સાહ ચરમસીમા પર પહોંચ્યો છે. સરકારના મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ ‘યોગ સંગમ’એ એક ઐતિહાસિક સીમાચિホ હાંસલ કર્યું છે, જેમાં અત્યાર સુધીમાં ૨૫,૦૦૦ થી વધુ સંસ્થાઓએ આ ભવ્ય ઉજવણીમાં ભાગ લેવા માટે નોંધણી કરાવી છે. આ પહેલને દેશભરની શૈક્ષણિક સંસ્થાઓ, કોર્પોરેટ ગળહો, બિન-લાભકારી સંસ્થાઓ અને સરકારી વિભાગો તરફથી પ્રચંડ અને ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો છે, જે ભારતમાં યોગ પ્રત્યે વધતા રાષ્ટ્રવ્યાપી રસ અને તેના સ્વાસ્થ્યલક્ષી મહત્ત્વને ઉજાગર કરે છે.
આ વ્યાપક નોંધણીઓ દર્શાવે છે કે યોગ માત્ર શારીરિક વ્યાયામ જ નથી, પરંતુ માનસિક અને આધ્યાત્મિક સુખાકારીને પ્રોત્સાહન આપવામાં પણ તેની ભૂમિકા સતત વધી રહી છે. એકલ ફાઉન્ડેશન, આંતરરાષ્ટ્રીય યોગ એસોસિએશન અને આંતરરાષ્ટ્રીય નેચરોપેથી સંગઠન જેવી જાણીતી સંસ્થાઓ આ પ્રારંભિક સહભાગીઓમાં મોખરે છે. આ ઉપરાંત, દેશની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓએ પણ ‘યોગ સંગમ’ને પોતાનું સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ ટેકનોલોજી કાનપુર, મુંબઈ અને બેંગ્લોરમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ મેનેજમેન્ટ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ ટેકનોલોજી કુરુક્ષેત્ર, મેસરા અને વેલ્લોર ઇન્સ્ટિટયૂટ ઑફ ટેકનોલોજી જેવા અનેક પ્રતિષ્ઠિત કેમ્પસ આ પહેલ સાથે સક્રિયપણે જોડાયેલા છે, જે યુવા પેઢીમાં યોગ પ્રત્યેની જાગળતિ વધારવામાં મદદરૂપ થશે.
માત્ર શૈક્ષણિક સંસ્થાઓ જ નહીં, સરકારી વિભાગો પણ મોટી સંખ્યામાં આ યોગ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે. ગોવા વન ભવન, અલ્ટિન્હોના મુખ્ય વન સંરક્ષકનું કાર્યાલય પણ આ ઉજવણીમાં સામેલ થયું છે, જે યોગ, ટકાઉ જીવન અને પર્યાવરણીય જાગળતિ વચ્ચેના તાલમેલને સ્પષ્ટપણે રેખાંકિત કરે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં રાજ્યો પણ પાછળ નથી. રાજસ્થાન, તેલંગાણા, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને પંજાબ સહિત અનેક રાજ્યો સંગઠનાત્મક નોંધણીમાં અગ્રેસર રહ્યા છે, જે મજબૂત પ્રાદેશિક ભાગીદારી અને યોગના સંદેશને જન-જન સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
‘યોગ સંગમ’ સૌથી મોટા અને સૌથી સમાવિષ્ટ યોગ ઉજવણીઓમાંના એક બનવા જઈ રહ્યો છે. આયુષ મંત્રાલયે બાકીની બધી સંસ્થાઓ – શૈક્ષણિક, સરકારી, કોર્પોરેટ અને બિનનફાકારક – ને પણ આ ભવ્ય ઉજવણીમાં આગળ આવવા અને સુખાકારી અને એકતાની સામૂહિક ભાવનામાં યોગદાન આપવા વિનંતી કરી છે. દર વર્ષે ૨૧ જૂને ઉજવાતો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, આ વખતે ખરેખર એક જનઆંદોલન બની રહેશે તેવું લાગી રહ્યું છે.