પાકિસ્તાન સાથેનાં ગંભીર તનાવ વચ્ચે ગુજરાત સહીત અનેક રાજયોમાં પાકિસ્તાની-બાંગ્લાદેશી સહીત ગેરકાયદે વસવાટ કરતાં વિદેશી નાગરીકોને હાંકી કાઢવાનું ઓપરેશન હાથ ધરાયુ હતું અને તેમાં અત્યાર સુધીમાં 2000 બાંગ્લાદેશીઓને ઘરભેગા કરાયા છે. તેમાંથી સ્પર્ધાથી વધુ તો ગુજરાતમાંથી પકડાયા હતા અને રવાના કરી દેવાયા છે.
કેન્દ્ર સરકારનાં સુત્રોએ કહ્યું કે, પાકિસ્તાન સાથેનાં તનાવ વચ્ચે પાકિસ્તાની ઉપરાંત બાંગ્લાદેશીઓ પર પણ તવાઈ ઉતારવામાં આવી હતી. સૌ પ્રથમ ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓ વિરૂધ્ધ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.
ત્રિપુરા,મેઘાલય, આસામ જેવા સરહદી રાજયોમાં પણ આવી કવાયત થઈ છે.દિલ્હી, હરીયાણા, આસામ, મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આવી કવાયત કરવામાં આવી હતી. આધાર પુરાવા વિના ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓનો વતન ભેગા કરાયા છે. તેમાંથી અર્ધો ડઝન ગુજરાતમાંથી હાંકી કઢાયા હતા.
સુત્રોએ કહ્યુ કે ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ ઓપરેશન ચાલૂ જ છે.યોગ્ય પર્યાપ્ત દસ્તાવેજો ન હોવાના સંજોગોમાં અટક કરીને ઘરભેગા કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. પહેલગામનાં ત્રાસવાદી હુમલા બાદ આ કવાયત હાથ ધરવામાં આવી હતી.
ઓપરેશન સિંદુર બાદ તે વધુ તેજ કરવામાં આવી હતી. સૌ પ્રથમ ગુજરાત બાદ દિલ્હી અને હરીયાણામાં ઓપરેશન શરૂ કરાયુ હતું. હજુ વધુ રાજયોમાં તે શરૂ થશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયને સ્પષ્ટ સુચના આપી જ છે.
આ બાંગ્લાદેશી નાગરીકોને જુદા જુદા સ્થાનોએ વાયુદળનાં વિમાનો મારફત સરહદે પહોંચાડવામાં આવ્યા હતા. ભોજન અને થોડા નાણા આપીને સરહદેથી પરત મોકલાય છે. આસામ-મેઘાલય તથા ત્રીપુરામાં મોટુ ઓપરેશન ચાલી રહી છે.
2000 જેટલા બાંગ્લાદેશીઓ તો બોર્ડરથી ઘુસે તે પૂર્વે જ પાછા ફરી ગયા છે. કારણ કે તેઓને ભારતમાં તવાઈ ઉતરવાની બીક છે. બાંગ્લાદેશીઓને બોર્ડર યાર્ડ બાંગ્લાદેશ સ્વીકારી લેતુ હોવાથી પ્રક્રિયા સરળતાથી ચાલી રહી છે.
સુત્રોના કહેવા પ્રમાણે દાયદાઓથી ભારતમાં વસવાટ કરનારા સિવાયનાં બાંગ્લાદેશીઓ ખાસ રકઝક કરતા નથી અને ઘરભેગા થઈ જાય છે. બાંગ્લાદેશ સીમામાં પહોંચીને તેઓ સગા સબંધીને બોલાવીને ચાલ્યા જાય છે. મોટાભાગનાં ગરીબ અને શ્રમિકો હોવાથી કાનુની લડત કરવાની હેસીયત હોતી નથી અને કોઈ રકમઝક વિના જ પરિવાર પાસે પહોંચી જાય છે.