રક્ષામંત્રી રાજનાથસિંહ આજે ગુજરાતમાં બે દિવસના પ્રવાસે આવ્યા છે. અહીં તેમણે ભુજના એરબેઝની મુલાકાત લીધી હતી, આ દરમિયાન તેમણે ભારત-પાકિસ્તાન સીમા ક્ષેત્રની પણ મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે તનાવ-સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનની સેનાએ ડ્રોનનો ઉપયોગ કરીને ભુજને નિશાન બનાવ્યું હતું. જો કે ભારતના સુરક્ષા દળોએ પાકિસ્તાનના ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ઓપરેશન સિંદુરની સફળતા બાદ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે તાજેતરમાં આદમપુર સ્થિત એરબેઝની મુલાકાત લઈ સૈનિકોને સંબોધીત કર્યા હતા અને કડક અંદાજમાં પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે આતંકવાદ સામે ભારતની લક્ષ્મણ રેખા ખૂબ જ સ્પષ્ટ છે. હવે જો ફરીથી હુમલો કર્યો તો ભારત જવાબ આપશે.
આજે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગુજરાતની યાત્રા દરમિયાન ભુજમાં એરબેઝ પર સૈનિકોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજનાથસિંહે ભારત-પાકિસ્તાન સીમા ક્ષેત્રની પણ મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનની સેનાએ ગુજરાતમાં ભુજને નિશાન બનાવ્યું હતું. પાકિસ્તાની સેનાએ ભુજ પર ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ભારતીય ડિફેન્સ સીસ્ટમે આકાશમાં જ પાકિસ્તાનના ડ્રોનને તોડી પાડયા હતા.
ભુજની મુલાકાત દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથે ક્ષેત્રમાં ભારતીય સશસ્ત્ર દળોની પરિચાલન તૈયારીઓનું મુલ્યાંકન કર્યું હતું. સંરક્ષણ મંત્રીએ આ તકે સૈનિકો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સૈનિકો-સેનાના અધિકારીઓ હાજર હતા.
સંરક્ષણ મંત્રીની ભુજની યાત્રા પાકિસ્તાન અને તેના સહયોગીઓને એક સ્પષ્ટ સંદેશ આપે છે કે, ભારતીય એરબેઝ પર પાકિસ્તાની ડ્રોન હુમલાની કોઈ અસર નથી પડી. કારણ કે બધા જ આકાશમાં નષ્ટ કરી દેવાયા હતા. પાકિસ્તાનને ઘણું નુકશાન ઉઠાવવું પડયું હતું.