પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન ચોંકી ઉઠ્યું છે. પાકિસ્તાની સૈનિકોએ ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે અને સીઝ ફાયરિંગ કર્યું હતું.
ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, 25-26 એપ્રિલ, 2025 ની રાત્રે કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સેનાની વિવિધ ચોકીઓ દ્વારા ઉશ્કેરણી વિના ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સૈનિકોએ પણ તેનો જવાબ આપ્યો છે. ફાયરિંગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
એક સંરક્ષણ અધિકારીએ શનિવારે કહ્યું કે સેનાએ પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામના ઉલ્લંઘનનો યોગ્ય જવાબ આપ્યો છે. શ્રીનગરમાં હાજર એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે 25-26 એપ્રિલની રાત્રે કાશ્મીરમાં એલઓસી પર પાકિસ્તાની સેનાની ઘણી ચોકીઓ પરથી ગોળીબાર થયો હતો. ભારતીય સેનાના જવાનોએ પાકિસ્તાનની આ કાર્યવાહીનો હથિયારોથી જડબાતોડ જવાબ આપ્યો હતો.
આ પહેલા શુક્રવારે પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખાના કેટલાક ભાગો પર ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાના બહાદુરોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. જો કે આ અથડામણમાં પણ કોઈ જાનહાનિના અહેવાલ નથી. જોકે, પાકિસ્તાની ગોળીબાર અને ભારતીય પ્રતિક્રિયા અંગે ભારતીય સેના તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ગયા શુક્રવારે, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પણ વરિષ્ઠ લશ્કરી કમાન્ડરો સાથે શ્રીનગરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી. મળતી માહિતી મુજબ, પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાની સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. તે જ સમયે, વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ શુક્રવારે શ્રીનગર પહોંચ્યા અને હુમલામાં ઘાયલ થયેલા લોકોની હાલત પૂછી. કોંગ્રેસ સાંસદે કહ્યું કે સરકાર આતંકવાદ વિરુદ્ધ જે પણ નિર્ણય લેશે અમે તેનું સમર્થન કરીશું.