By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ઐતિહાસિક અને અભૂતપૂર્વ આયોજન થયું સંપન્ન
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ગુજરાત > અદાણી પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ઐતિહાસિક અને અભૂતપૂર્વ આયોજન થયું સંપન્ન
ગુજરાત

અદાણી પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ઐતિહાસિક અને અભૂતપૂર્વ આયોજન થયું સંપન્ન

Hotline News
Last updated: December 22, 2025 5:57 PM
Hotline News - Editor Published December 22, 2025
SHARE

મુંદ્રા/શિરાચા, અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડ દ્વારા આયોજિત આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ શ્રી દાનેશ્વર મહાદેવ મંદિર (શિરાચા) ખાતે યોજાયો હતો. ૧૪ ડિસેમ્બરથી શરૂ થયેલી આ કથા ૨૦ ડિસેમ્બરે દિવસે સંપન્ન થઈ. આ સપ્તાહ દરમિયાન સમગ્ર કચ્છ જિલ્લામાંથી અભૂતપૂર્વ રીતે ૧,૦૦,૦૦૦થી વધુ લોકોએ કથારસનો લાભ લીધો હતો. તેમજ ૪,૦૦૦થી વધુ લોકોએ કથા સ્થળે યોજાયેલ મેડિકલ કેમ્પનો લાભ મેળવ્યો હતો.

શિરાચા ગામ આજે એક ઐતિહાસિક તેમજ અભૂતપૂર્વ કથાનું સાક્ષી બન્યું. દરરોજ હજારોની સંખ્યામાં ભક્તજનોની ભીડ ઉમટી પડી હતી. કથા સ્થળે આવનાર કોઈ પણ શ્રોતા ભૂખ્યો પેટે પરત ન ફરે તેની પૂર્ણ કાળજી લેવામાં આવી હતી. વિવિધ ગામડાઓમાંથી ભક્તોને કથા સ્થળે લાવવા-લઈ જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી તેઓ કથા શ્રવણ કરીને ભોજન લઈને સુરક્ષિત રીતે પોતાના ગામ પરત ફરી શકે. મેડિકલ કેમ્પમાં માત્ર નિદાન જ નહીં, પરંતુ જરૂર પડે તો આગળની સારવાર માટે પણ અદાણી પોર્ટ્સ દ્વારા સહાયની વ્યવસ્થા કરવામાં આવી હતી.

અદાણી ફાઉન્ડેશન દ્વારા નિયમિત આસપાસના ગામોમાં ઘાસચારો પૂરો પાડવામાં આવે છે, પરંતુ આ કથા દરમિયાન સવિશેષ આસપાસના ગામોમાં ગાયોને લીલો ઘાસચારો આપવામાં આવ્યો, સાથે જ કૂતરાઓને રોટલી અને પક્ષીઓને ચણ વહેંચવાનું કાર્ય અવિરત ચાલુ રહ્યું.

અંતિમ દિવસે અદાણી પોર્ટ્સ એન્ડ એસઈઝેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કરણ અદાણી પધાર્યા હતા અને તેમણે મુંદ્રા તેમજ આસપાસના ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી. લોકોએ શ્રી કરણભાઈ અદાણીને આ અદભૂત કથાના આયોજન માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. અદાણી પોર્ટ્સના ગ્રુપ સીઈઓ શ્રી અશ્વિનીકુમાર ગુપ્તા, મુંદ્રા-તુણા પોર્ટના સીઈઓ શ્રી સુજલકુમાર શાહ તેમજ અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કથામાં પધારેલા સાધુ-સંતો અને મહંતોમાં શ્રી દેવેન્દ્રગીરીજી ગુરુજી (શ્રી દાનેશ્વર મહાદેવ મંદિર, શિરાચા), શ્રી મનોહરગીરી બાપુ (મહંતશ્રી દાનેશ્વર મહાદેવ જાગીર), શ્રી દેવદરબાર 1008 બળદેવનાથ જાગીર, ઉપરાંત ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય (પ્રથમ મહિલા અધ્યક્ષ) ઉપરાંત એ ઉપસ્થિત રહ્યા હતા.

અદાણી પરિવાર દ્વારા આ વર્ષે પ્રયાગરાજ મહાકુંભમાં સહયોગ, શ્રી જગન્નાથપુરી રથયાત્રા, ગીતા પ્રેસ ગોરખપુરને સહાય, ઇન્ડોલોજી તેમજ હવે શિરાચાના અતિપ્રાચીન શ્રી દાનેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન – આ બધું અદાણી ગ્રુપની ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક સદ્દભાવના પ્રતીત થાય છે.

અંતિમ દિવસે અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રક્ષિત શાહે ઉદબોધનમાં જણાવ્યું કે, “સર્વજનહિતાય, સર્વજનસુખાય”ના ઉદ્દેશ્યથી યોજાયેલી આ કથામાં અદાણી પોર્ટ્સ માત્ર નિમિત્ત બન્યું છે. સૌની સહભાગિતાથી જ આ આયોજન સફળ થયું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ કથા શીખવે છે કે ભક્તિ અને કર્મ અલગ નથી, સેવા અને વિકાસ વિરોધી નથી, સેવા વગરનો વિકાસ અધૂરો છે. “અજ અસા જોકો ઐયુ આં થકી ઐયુ” કચ્છીમા ઉદબોધન કરી સર્વેના યોગદાનને બિરદાવ્યું હતું અને કહ્યું હતું કે અદાણી પરિવાર હંમેશાં આપ સૌનો ઋણી રહેશે.

વિવિધ ગામોના પ્રતિનિધિઓ, સામાજિક અગ્રણીઓ, વિવિધ સંગઠનો અને વિવિધ ઔદ્યોગિક એકમના પ્રતિનિધિઓ એ શ્રી કરણભાઈ અદાણી, શ્રી રક્ષિતભાઈ શાહનું સન્માન કર્યું હતું અને અદાણી પરિવાર વતી શ્રી રક્ષિતભાઈ શાહે પણ ઉપસ્થિત સંતો, મહંતો અને મહાનુભાવોનું સન્માન કર્યું હતું.

આ સમગ્ર આયોજન દરમ્યાન વ્યવસ્થામાં સહભાગી થયેલા, વહીવટી તંત્ર, પોલીસ, વિવિધ ગામોના સ્વયંસેવકો તેમજ અદાણી પરિવારના તમામ સભ્યો, મેડિકલ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ, ગ્રાફિક્સ અને ડિઝાઇનિંગ સ્ટાફ, ફોટો-વિડીયો સ્ટાફ, લાઇટ-મંડપ, ટ્રાન્સપોર્ટ વિભાગ, જમણવાર અને રસોઇના કામદારો, સફાઇકામદારો સહિતના નાનામાં-નાના વ્યક્તિનું સ્ટેજ પર બોલાવી રક્ષિતભાઈ અને અમીબેન શાહે સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી.

You Might Also Like

પત્નીએ હાથ પકડ્યા અને પતિએ દુપટ્ટા વડે તેનું ગળું દબાવ્યું… નહાવાનો વીડિયો અને બ્લેકમેઈલિંગ અંગે લોહિયાળ રમત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ, 3 બાળકોના મોત, 7 પોઝિટિવ, ગાઈડલાઈન જારી

આખા શરીરમાં ઇન્ફેક્શન, સોજા આવી ગયા… હોસ્પિટલએ મહિલાને ગ્લુકોઝની એક્સપાયર બોટલ ચઢાવી દીધી

પ્રેમી યુગલ ભાગી જવા પર હોબાળો, ઘરમાં તોડફોડ કરીને યુવકની માતાએ કરી આત્મહત્યા

ચોકલેટ રેપરમાં લપેટીને ડ્રગ્સનું વેચાણ, અમદાવાદ શહેર પોલીસે સર્વેલન્સ બાદ મહિલાની ધરપકડ કરી

#AdaniGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
અદાણી GEMS સ્કૂલ ઓફ એક્સેલન્સે ભારતની શ્રેષ્ઠ ઉભરતી શાળાઓમાં સ્થાન મેળવ્યું
Hotline News Hotline News September 9, 2025
મેકર્સ અને એક્ટર મનોજ બાજપેયીએ આ વિવાદ પર સ્પષ્ટતા કરી, કહ્યું…
હવે વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને વિકલાંગને ટ્રેનોમાં સૌથી પહેલા લોઅર બર્થ મળશે
“મારો દીકરો નમાઝ પઢે છે, પૂજા પણ કરે છે,” હક ફિલ્મ વિવાદ પર ઇમરાન હાશ્મીએ કહ્યું
ભારતમાં સ્ત્રીઓ કરતાં પુરુષોમાં આત્મહત્યાનો દર વધુ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

ગુજરાતના કપાસના ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹ 14,000ની સહાય મળશે, અહીં અરજી કરો

Hotline News Hotline News July 15, 2026
Top Newsગુજરાત

એક સમયે સુરતના મનપા કમિ. હાલ મુખ્ય સચિવ તરીકે નોંધપાત્ર સિદ્ધિ મેળવી રહ્યા… કોણ છે એમ.કે. દાસ?

Hotline News Hotline News July 15, 2026
Top Newsગુજરાત

માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો, AAP આ વખતે પણ નહીં લડે

Hotline News Hotline News July 15, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?