By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    જેમા Sunita williams પૃથ્વી પર ઉતર્યા, એ જ ડ્રેગન કેપ્સ્યુલમાં શુભાંશુ સ્પેસ સ્ટેશન જશે…
    June 6, 2025
    Jio અને Airtel પણ ચિંતામાંઃ ભારતમાં શરૂ થશે એલોન મસ્કની ઈન્ટરનેટ સેવા
    June 6, 2025
    ભારતના હવાઈ મુસાફરી માળખાને મળશે નવી ઉડાન! અદાણી એરપોર્ટ્સને $750 મિલિયનનું આંતરરાષ્ટ્રીય ભંડોળ મળ્યું
    June 4, 2025
    આખી દુનિયા તમારા ચશ્મામાં હશે
    May 29, 2025
    ગેમ ચેન્જર ટેકનિક! બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ જેવા ટેસ્ટ સેલ્ફીથી જ થશે
    May 24, 2025
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કવિ અનિલ જોશીનું આજે મુંબઈમાં અવસાન
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કવિ અનિલ જોશીનું આજે મુંબઈમાં અવસાન
Top News

ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કવિ અનિલ જોશીનું આજે મુંબઈમાં અવસાન

તેઓને નરસિંહ મહેતા એવોર્ડ તથા સ્ટેચ્યુ નિબંધ સંગ્રહ માટે લલિત કલા અકાદમી એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો : દીકરા સંકેત અનિલ જોશીએ ફેસબૂક પોસ્ટમા લખ્યું કે "પપ્પા હવે આપણી સાથે નથી રહ્યા...

Hotline News
Last updated: February 26, 2025 1:36 PM
Hotline News - Editor Published February 26, 2025
SHARE

સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ અનિલ જોશીનુ આજે મુંબઈમાં અવસાન થયું છે તેઓને નરસિંહ મહેતા એવોર્ડ તથા સ્ટેચ્યુ નિબંધ સંગ્રહ માટે લલિત કલા અકાદમી એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો.

અનિલ રમાનાથ જોશીનો જન્મ ૨૮ જુલાઇ ૧૯૪૦ના રોજ ગોંડલમાં થયો હતો. તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અનુક્રમે ગોંડલ અને મોરબીમાં લીધું હતું. તેમણે ૧૯૬૪માં એચ.કે.આર્ટસ કૉલેજ, અમદાવાદથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે વિનયનના સ્નાતક (બેચલર ઓફ આર્ટસ)ની પદવી મેળવી હતી. તેઓ ગુજરાતી નિબંધકાર અને કવિ છે. 

આધુનિક ગુજરાતી સાહિત્યમાં તેમણે પોતાનું પુષ્કળ યોગદાન આપ્યું છે. જેમાં તેમણે ગીત, મુક્ત પદો, ગઝલ, નિબંધ જેવા સાહિત્ય ક્ષેત્રે ખેડાણ કર્યું છે. તેમના નોંધપાત્ર સર્જનની વાત કરીએ તો કદાચ (૧૯૭૦), બરફના પંખી (૧૯૮૧), સ્ટેચ્યુ (૧૯૮૮)નો ઉલ્લેખ ખાસ કરવો ઘટે. 

કવિ અને નિબંધકાર અનિલ જોશીએ ૧૯૬૨-૧૯૬૯ દરમિયાન હિંમતનગર, અમરેલીમાં શિક્ષક તરીકેની ફરજ બજાવી હતી. ઉપરાંત તેઓ ૧૯૭૧થી ૧૯૭૬ સુધી ‘કૉમર્સ’ સામયિકના તંત્રી રહી ચુક્યા છે. તેઓ વાડીલાલ ડગલીના પી.એ. ૧૯૭૬-૭૭માં પરિચય ટ્રસ્ટમાં સહસંપાદક રહ્યા હતા. તેમણે ૧૯૭૭થી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે ફરજ બજાવી  હતી.

‘કદાચ’ (1970) અને ‘બરફનાં પંખી’ (1981) એમના કાવ્યસંગ્રહો છે. સાતમા-આઠમા દાયકાના નવતર કવિઓમાં અનિલ જોશીનું મહત્ત્વનું સ્થાન રહ્યું. 1960 પછી કવિતામાં આધુનિક વલણો દેખાયાં અને વિસ્તર્યાં ત્યારે ગીતને પણ આધુનિકતાનો સ્પર્શ થયો. ગુજરાતી ગીતમાં આધુનિકતાનો એવો ઉન્મેષ અનિલ જોશીનાં ગીતોમાં પમાયો. પરંપરાગત ગુજરાતી ગીતને એમણે દૃઢ તર્ક વગેરેમાંથી મુક્ત કર્યું. મર્યાદિત ભાવ-અર્થબોધના પ્રણાલિકાગત સંદર્ભોમાંથી પણ અનિલ જોશીને હાથે ગીત મુક્તિ પામે છે. ગીતમાં એમણે નવતર અને સાંપ્રત જીવનસંદર્ભોને નવા ભાવાર્થસાહચર્યોથી રજૂ કર્યા, અપરિચિત શબ્દસાહચર્યો વડે ગીતમાં નવું વાતાવરણ તથા અરૂઢ મિજાજ એ લઈ આવ્યા. તળપદા ભાવો, શબ્દો, તળપદા લય વગેરે પ્રયોજવા સાથે એમણે ગીતમાં શિષ્ટ અભિવ્યક્તિ પણ સિદ્ધ કરી. દીર્ઘલયનાં ગીતો પણ એમનો વિશેષ રહ્યો છે. પ્રેમસંવેદન ઉપરાંત યંત્રચેતનાગત ભાવસ્પંદનો પણ એમની કવિતામાં ધ્યાન ખેંચે છે. ખાસ તો લયબદ્ધ અને અછાંદસ કવિતામાં નાગરી ચેતનાનો અનુભવ થાય છે. એમની અછાંદસ કવિતા વ્યંગ, કાકુ વગેરેથી પણ સ્પર્શ્ય બનેલી છે. ગઝલ એમને ખાસ સદી નથી. ‘બરફનાં પંખી’ને જયન્ત પાઠક પારિતોષિક મળ્યું છે. 

માંદગીને કારણે હૉસ્પિટલમાં રહ્યા બાદ હૉસ્પિટલમાંથી ઘરે આવ્યાના અમુક દિવસોમાં તેમનું મુંબઈમાં નિધન થયું. કવિના નિધનના સમાચાર તેમના દીકરા સંકેત અનિલ જોશીએ ફેસબૂક પોસ્ટ દ્વારા આપ્યા છે. તેમણે લખ્યું કે “પપ્પા હવે આપણી સાથે નથી રહ્યા. આજે સવારે તેમણે આ વિશ્વને અલવિદા કહી દીધું છે.” આ સિવાય તેમણે ડૉક્ટર્સ અને નર્સનો આભાર માન્યો છે.

તેમના દીકરાએ કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ પર અનેક સાહિત્યકારો, સાહિત્યરસિકોએ દુઃખ વ્યક્ત કરી કવિ અનિલ જોશીને શ્રદ્ધાંજલિ આપી છે.

You Might Also Like

રણવીર સિંહ બહાર, હવે અલ્લુ અર્જુન બનશે ‘Shaktimaan’, શું બોક્સ ઓફિસ પર પુષ્પા-2 જેવું તોફાન આવશે?

નવા કામકાજ શરૂ ન કરવા: 15 જુનથી 21 જુન 2025 સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Israel Iran War: શું દુનિયા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે?

11 વર્ષથી લંડનમાં હતાં, બીમાર માતાને મળવા અને ઈદ ઉજવવા આવ્યાં, પરંતુ ભારતમાં મળ્યું મોત

IRCTC એકાઉન્ટને તમારા આધાર સાથે કેવી રીતે લિંક કરવું? પદ્ધતિ જાણો, આ વિના તમે તત્કાલ ટિકિટ બુક કરી શકશો નહીં

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsસુરત
સુરતમાં 19 વર્ષની છોકરીએ 17 વર્ષના સગીરાને ભગાડી ગઈ
Hotline News Hotline News May 23, 2025
જો તમારા બાળકને મોબાઈલની આદતથી મુક્ત કરવા માંગતા હો, તો દરેક માતાપિતાએ આ પાંચ પદ્ધતિઓ અપનાવવી જોઈએ
દર્દીઓને મોંઘવારીનું ઇન્જેક્શન : ટીબી, અસ્થમા જેવા રોગોની દવાઓના ભાવમાં 50 ટકાનો વધારો
કદંબના ફળના ઔષધીય ગુણો, જાણો તેના સ્વાસ્થ્ય લાભો
સુરતના ઉદ્યોગપતિના પુત્રની હત્યા અને ખંડણીના આરોપીને તિહાર જેલમાંથી ગુજરાત લાવવામાં આવ્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

શુભાંશુ શુક્લા ક્યારે સ્પેસ સ્ટેશન જશે… NASAએ જાહેર કર્યું

Hotline News Hotline News June 14, 2025
Top News

ગરમીમાં AC ચલાવતી વખતે આ 5 વાતોનું ધ્યાન રાખો, રૂમ બની જશે હિલ સ્ટેશન! 99% લોકો આ ટિપ્સથી અજાણ

Hotline News Hotline News June 14, 2025
Top Newsમનોરંજન

શું આલિયા ભટ્ટે પોતાની અટક બદલી? હોટલમાંથી અભિનેત્રીના નામનો ફોટો વાયરલ થયો

Hotline News Hotline News June 13, 2025
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Adani
  • Gujarat
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • Indian
  • dharavi
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • vadodara
  • PAKISTAN
  • China
  • Kashmir
  • kejriwal
  • beautiful
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?