ગુજરાતના ગોધરાકાંડ પર બનેલી બોલિવૂડ ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ને ગુજરાતમાં ટેક્સ ફ્રી બનાવવાની માંગ ઉઠી હતી. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ફિલ્મ ટેક્સ ફ્રી થયા બાદ આ માંગ ઉભી થઈ હતી, ત્યારે આ ફિલ્મ જોયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્સ ફ્રીની જાહેરાત કરી છે.
અમદાવાદઃ યુપી-રાજસ્થાન સરકારે ગોધરા ઘટના પર બનેલી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ને ટેક્સ ફ્રી કર્યા બાદ ગુજરાતમાં તેની માંગ ઉઠી હતી. સૂત્રોનું માનીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ફિલ્મ જોયા બાદ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી દીધી છે. મુખ્ય ભૂમિકામાં વિક્રાંત મેસી અભિનીત આ ફિલ્મના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વખાણ કર્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ગુજરાતના વડોદરા, સુરત, અમદાવાદમાં ફિલ્મના સ્પેશિયલ શો બાદ સામાજિક સંસ્થાઓએ રાજ્યમાં પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ને કરમુક્ત બનાવવા સોશિયલ મીડિયા પર માંગ ઉઠાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિટી ગોલ્ડમાં ફિલ્મ નીહાળી હોવાની માહિતી સામે આવી છે. આ પછી ટેક્સ ફ્રીની જાહેરાત કરી છે.
પીએમ મોદીએ કર્યા વખાણ
ગોધરાની ઘટના પર ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ બનાવવામાં આવી છે. જેમાં અયોધ્યાથી પરત ફરી રહેલા કાર સેવકોના કોચમાં આગ લાગી હતી. મધ્યપ્રદેશમાં પ્રથમ વખત આ ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવી હતી. ત્રણ દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ફિલ્મના વખાણ કર્યા હતા. પીએમ મોદીએ X પર લખ્યું હતું કે સારી વાત છે કે આ સત્ય બહાર આવી રહ્યું છે અને તે પણ એવી રીતે કે સામાન્ય લોકો તેને જોઈ શકે. છેવટે, હકીકતો હંમેશા બહાર આવે છે.