ભારત – પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી અથડામણને કારણે દેશના 20 એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. તેને પગલે અમદાવાદ એરપોર્ટ પર આવતી જતી 11 ફ્લાઈ રદ થઈ હતી જ્યારે 29 ફ્લાઈટ નિયત સમય કરતાં કલાકો લેટ થઈ હતી.
બીજી તરફ, આગામી દિવસોમાં પણ ફ્લાઈટના શિડ્યૂલ ખોરવાય તેવી સંભાવનાને લઈને એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફ્લાઈટના સ્ટેટસ ચેક કરીને જ એરપોર્ટ પર જવાની સૂચના આપવામાં આવી છે. જે લોકો મુસાફરી કરવાના છે તેમને નિયત સમય કરતાં વહેલા એરપોર્ટ પર પહોંચવાની સૂચના આપવામાં આવી છે.
મુસાફરોને લેવા- મૂકવા આવતા લોકો માટે નો એન્ટ્રી કરી દેવામાં આવી છે અને એરપોર્ટ પરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુજરાતના ઘણા જિલ્લાની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે.
તેને પગલે બોર્ડરના જિલ્લાના ભુજ, પોરબંદર, રોજકોટ, જામનગર અને કેશોદ એરપોર્ટ સદંતર બંધ કરી દેવામાં આવ્યા છે. સૌથી વ્યસ્ત એવા અમદાવાદ એરપોર્ટને હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એરપોર્ટ પ્રિમાઇસીસ અને એરપોર્ટની આજુબાજુમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. 9
દેશના 20 એરપોર્ટ બંધ હોવાથી મોટા ભાગની ફ્લાઇટના શિડ્યૂલ ખોરવાયા હતા. જેમાં છ ઇન્ટરનેશનલ મળી કુલ 11 ફલાઇટ રદ થઇ હતી. જેમાં અબુધાબી, દુબઈ અને શારજાહની ફલાઇટનો સમાવેશ થાય છે.
બીજી તરફ, કુલ 29 ફ્લાઈટ કલાકો લેટ થઈ હતી. તેને પગલે મુસાફરોને એરપોર્ટ પર બેસી રહેવાની નોબત ઊભી થઇ હતી. એરપોર્ટ પર સિક્યોરિટીના કારણોસર મુસાફરોને લેવા-મૂકવા માટે આવતા માણસો માટે નો એન્ટ્રી કરી દેવામાં આવી છે.
તાજેતરમાં હજયાત્રાની તૈયારીઓ શરૂ થઇ રહી છે ત્યારે હજયાત્રીઓને મૂકવા માટે પણ મોટી સંખ્યામાં લોકો એરપોર્ટ 52 આવવાનું ટાળે તેવા સૂચના અપાઇ છે.
એરપોર્ટ પર આવતા જતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. એરપોર્ટ પ્રિમાઇસીસમાં પણ શંકાસ્પદ લોકો પ2 વોચ રાખવામાં આવી રહી છે. તમામ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. બંધ કરાયેલા એરપોર્ટ મિલિટ્રી સેવા માટે 24 કલાક ખુલ્લા રહેશે.