મુંબઈ: ધારાવીમાં હાલમાં ચાલી રહેલા સર્વેક્ષણને ઝડપી બનાવવા અને દરેક ધારાવીકર માટે ઘર પૂરા પાડવાની સરકારની દૃઢ પ્રતિબદ્ધતાની સાથે, સર્વેક્ષણ ટીમો ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ (DRP) હેઠળ નસીબદાર લાભાર્થીઓમાં ગણાતા ઉપરના માળના ટેનામન્ટ ધારકો સાથે સક્રિય રીતે સંપર્ક કરી રહી છે.
પરંપરાગત રીતે, ઝૂંપડપટ્ટીમાં ઉપરના પહેલા માળના રહીશો ગેરકાયદેસર માનવામાં આવે છે અને SRA પ્રોજેક્ટ્સમાંથી બાકાત રાખવામાં આવે છે. જો કે, 4.10.2024 ના રોજના સરકારી ઠરાવ (GR) અનુસાર, 15.11.2022 ના રોજ ધારાવીમાં રહેતા તમામ ઉપરના માળના રહેણાંક ટેનામેન્ટ ધારકો હાયર પરચેઝ યોજના હેઠળ પુનર્વસન માટે પાત્ર છે.
આ યોજનામાં લાભાર્થીઓને ધારાવી બહાર પરંતુ મુંબઈ મહાનગર વિસ્તારમાં (MMR) ૩૦૦ ચોરસ ફૂટના ઘર નામમાત્ર કિંમતમાં મળશે. તાજેતરમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં જાહેરાત કરી હતી કે આ રહેવાસીઓને આ રકમ ૧૨ વર્ષની અંદર ચુકવવી પડશે. ચુકવણીની મુદત બાદ માલિકીનો હક્ક હસ્તાંતરિત કરવામાં આવશે. આ રહેવાસીઓ કાનૂની માલિકી મેળવવા માટે 12 વર્ષ દરમિયાન કોઈપણ સમયે ઉચ્ચક રકમ ચૂકવવાનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે. ભાડું અને યુનિટનો ખર્ચ સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે અને એકત્રિત કરવામાં આવશે.
તાજેતરમાં, મીડિયા અહેવાલોમાં એવો આરોપ મૂકવામાં આવ્યા છે કે ગ્રાઉન્ડ ફ્લોરના રહેવાસીઓ પાસેથી બળજબરીથી સોગંદનામા (Affidavit) મેળવવામાં આવી રહ્યા છે, જેથી તેમને પાત્રતામાંથી ગેરલાયક ઠેરવી શકાય. જેને પગલે ધારાવીના રહેવાસીઓમાં ચિંતા અને મૂંઝવણ ફેલાઈ છે.
આ મુદ્દાને સ્પષ્ટતા કરતા, NMDPL ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “4.10.2024 ના રોજના GR અનુસાર જ સોગંદનામા (Affidavit) એકત્રિત કરવામાં આવી રહ્યા છે. જે ધારાવીની બહાર પુનર્વસન માટે ઉપલા માળના રહીશોની પાત્રતા નક્કી કરવા માટે છે.”
GR મુજબ, ઉપલા-પહેલા માળના રહીશોએ તેમના રહેઠાણને સાબિત કરવા માટે ઓછામાં ઓછા આ દસ્તાવેજોમાંથી એક રજૂ કરવું આવશ્યક છે: જેમાં વીજળી બિલ, રજિસ્ટર્ડ વેચાણ અથવા ભાડા કરાર, આધાર કાર્ડ, રેશન કાર્ડ, ફ્લોર નંબર દર્શાવતો પાસપોર્ટ, અથવા પાત્ર ગ્રાઉન્ડ ફ્લોરના રહેવાસી દ્વારા પ્રમાણિત સોગંદનામાનો (Affidavit) સમાવેશ થાય છે.
“SRA ના ઇતિહાસમાં આ પ્રકારની પહેલી પહેલ છે, જેનો ઉદ્દેશ્ય દરેક ધારાવીકરને ઘર મળે તે સુનિશ્ચિત કરવાનો છે,” પ્રવક્તાએ ઉમેર્યું. “એફિડેવિટ ફક્ત સ્વીકાર્ય દસ્તાવેજોમાંનો એક છે. જો કે, મોટાભાગના ઉપરના માળના રહીશો પાસે તેમના રહેઠાણને સાબિત કરવા માટે સત્તાવાર રેકોર્ડ નથી, જે GR માં ઉલ્લેખિત સોગંદનામું (Affidavit) એ વ્યવહારુ વિકલ્પ છે.”
DRP ટેન્ડર શરતો અનુસાર, ધારાવીની બહાર, પરંતુ MMR ની અંદર, બધા લાયક અયોગ્ય ટેનામેન્ટ ધારકોનું પુનર્વસન કરવાની જવાબદારી સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) ની છે.
તાજેતરના સર્વેક્ષણ ડેટા મુજબ, લગભગ એક લાખ માળખાઓનું ભૌતિક રીતે મેપિંગ કરવામાં આવ્યું છે. આમાંથી, આશરે 94,500 ને અનન્ય ઓળખ નંબર સોંપવામાં આવ્યા છે, લગભગ 88,000 ને LiDAR દ્વારા ડિજિટલી મેપિંગ કરવામાં આવ્યા છે, અને લગભગ 70,000 ટેનામેન્ટ માટે ઘરગથ્થુ સર્વેક્ષણ પૂર્ણ કરવામાં આવ્યો છે.
About NMDPL:
Navbharat Mega Developers Private Limited (NMDPL) is a Special Purpose Vehicle formed as a joint venture between the Government of Maharashtra and the Adani Group. It is NMDPL’s endeavor to transform and upgrade the lives of Dharavikars by providing them modern housing and preserving their inherent entrepreneurial spirit. This human-centric transformation is about rebuilding spaces and reinventing the very essence of community living, dovetailing state-of-the-art imperatives of transportation connectivity, electricity, water, and internet while enabling a hygienic environment with civic amenities, all benchmarked with the best in class.
For more information, please contact:
Bivabasu Kumar: [email protected] | NMDPL
Parikshit Joshi: [email protected] | NMDPL
Pankaj Mudholkar: [email protected] | Aakriti Promotions and Media Limited