- સુરતમાં તીખળોએ કાકચીચારો કરતાં કાવતરાની આશંકા
- 1000 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા
- સુરજ ઉગવા પહેલા તીખળ કરનાર 25 લોકોની ધરપકડ
સુરતઃ રવિવારે સાંજે ગણેશ પંડાલ પર પથ્થરમારાના અહેવાલો સામે આવ્યા બાદ સુરતમાં વિરોધ ફાટી નીકળ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો.
ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પથ્થરમારામાં સામેલ 5 લોકો સાથે ઘટનાને પ્રોત્સાહિત કરનારા તમામ 25 લોકોની પોલીસે ધરપકડ કરી છે. પથ્થરમારાની ઘટના બાદ તંગદિલી સર્જાતા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ વિસ્તારમાં લગભગ 1000 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.



1,000 પોલીસ કર્મચારીઓ તૈનાત
સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે “કેટલાક બાળકોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો જે પછી અથડામણ થઈ હતી. પોલીસ તરત જ તે બાળકોને ત્યાંથી લઈ ગઈ…પોલીસને તાત્કાલિક વિસ્તારમાં તૈનાત કરવામાં આવી હતી. જ્યાં જરૂર હતી તે તમામ વિસ્તારોમાં લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો… શાંતિ ભંગમાં સામેલ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. ચારે બાજુ લગભગ 1,000 પોલીસ કર્મચારીઓ તૈનાત છે”.




સુરજ ઉગવા પહેલા પથ્થરબાજોની ધરપકડ
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ખાતરી આપી હતી કે ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવશે. “સુરતના સૈયદપુરા વિસ્તારમાં આજે 5 લોકોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. સુરજ ઉગવા પહેલા આ તમામ 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને આવી ઘટનાને પ્રોત્સાહિત કરવામાં સંડોવાયેલા અન્ય 20 લોકોની પણ પોલીસે ધરપકડ કરી છે…તપાસ ચાલી રહી છે…પોલીસ સુરતના તમામ વિસ્તારોમાં તૈનાત છે…જે લોકો શાંતિનો ભંગ કરશે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે”.

લાગ્યા બૂલ્ડોઝર બૂલ્ડોઝરના નારા
લઘુમતી કોમ દ્રારા કરવામાં આવેલી અસામાજીક પ્રવૃત્તિના પગલે હિન્દુ લોકો દ્વારા પોલીસ સ્ટેશનોનો ઘેરાવ કરી યોગી યોગી તેમજ બૂલ્ડોઝર બૂલ્ડોઝરના નારા લાગ્યા હતાં, ત્યારે પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો અને તોળા વિખેરી શાંતિ સ્થાપી હતી.
જ્યાં પથ્થરમારો થયો ત્યાં હર્ષ સંઘવીએ પૂજા કરી; સૂર્યોદય પહેલાં પગલાં લેવાનું વચન પણ પૂરું કર્યું
ગૃહમંત્રીએ સવારે ગણપતિની આરતી કરતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે, ‘સુરત પોલીસની ટીમ અને ગણેશ મંડળના આયોજકો સાથે મળીને મેં એ જ ગણેશ પંડાલમાં ભગવાન ગણેશની આરતી અને પૂજા કરી હતી જ્યાં પથ્થરમારો થયો હતો. રવિવારે મુસ્લિમ સમુદાયના કેટલાક છોકરાઓએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. આ પછી વિસ્તારના હિંદુઓ નારાજ થઈ ગયા. ટોળાએ સૈયદપુરા પોલીસ ચોકીને ઘેરી લીધી હતી. હજારોની સંખ્યામાં લોકો ચોક પર એકઠા થયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. આ દરમિયાન કેટલાક વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી.

ગયા વર્ષો પણ થયો હતો પથ્થરમારો
આ પથ્થરમારામાં ઘાયલ એક સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે આ જ રીતે ગયા વર્ષે પણ બાળકોનો ઉપયોગ કરીને પથ્થરમારા સહિતની પ્રવૃત્તિથી મુસ્લીમો દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે આ ઘટનાને કોઈએ ગંભીરતાથી લીધી ન હતી જેના પગલે ફરી આ ઘટના પુનરાવર્તીત કરવામાં આવી છે.
MPના રતલામમાં પણ થયો હતો પથ્થરમારો
મધ્યપ્રદેશના રતલામમાં શનિવારે ભગવાન ગણેશની મૂર્તિ લઈને નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. આ ઘટના શનિવારે રાત્રે મોચીપુરા વિસ્તારમાં બની હતી જ્યારે કેટલાક લોકો સ્થાપના માટે ગણપતીની મૂર્તિ લઈને જઈ રહ્યા હતા.


