ઉનાળાની શરૂઆત સાથે જ કાળઝાળ તડકો શરૂ થઈ ગયો છે. આ સમયે, તરસ છીપાવવા માટે લોકો ઠંડા પીણાં અથવા ઠંડુ પાણી પીવાનું મહત્વ આપતા હોય છે. આ પરિસ્થિતિમાં, દેશી ફ્રીઝ તરીકે જાણીતા માટીના માટલાઓનું વેચાણ વધ્યું છે. અમરેલી જિલ્લામાં માટીના માટલા ઉપરાંત ચીનાઈ માટીના ડેકોરેટેડ માટલાઓની બજાર ભરાઈ રહી છે.
લોકો ફ્રીઝના ઠંડા પાણી કરતાં માટલાનું પાણી પીવા તરફ વલણ ધરાવતા હોવાથી, બજારમાં આ માટલાઓની દુકાનો અને ઘર ઘર થઈને દેશી ફ્રીઝના વેચાણમાં વધારો થઈ રહ્યો છે.વેપારી પ્રજાપતિએ જણાવ્યું કે તે માટલાના વેપાર સાથે સંકળાયેલ છે અને તેનું દુકાન છે. હાલ માટલાની માંગમાં વધારો થયો છે. ઉનાળાની ગરમીઓમાં લોકો તરસ છીપાવવા માટે દેશી માટલાની ખરીદી વધુ કરે છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં કુંભારો દ્વારા બનેલા દેશી ફ્રીઝ, જેને જૂનવાણી માટલાં કહે છે, તે વધુ ઠંડુ અને શુદ્ધ પાણી માટે લોકપ્રિય બન્યા છે.
આ દેશી માટલા દેશી ડિઝાઇન અને નકશીકામ સાથે ઘરની શોભા વધારતા હોય છે. કુદરતી રીતે આ માટલા ફ્રીઝ કરતાં વધુ ઠંડુ પાણી આપતા હોવાથી લોકોએ તેનો ઉપયોગ વધાર્યો છે. અમરેલીના વિવિધ તાલુકા મથકો પર આ માટલાની બજાર જોવા મળી રહી છે. લોકો ફ્રીજના પાણીની બદલે આ માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે. બજારમાં નાના માટલાંની કિંમત લગભગ ૧૦૦ રૂપિયા છે જ્યારે ચીનાઈ માટીના ડેકોરેટેડ માટલા ૫૦૦ થી ૮૦૦ રૂપિયા સુધી મળે છે, જેને લોકો ઉત્સાહપૂર્વક ખરીદી રહ્યા છે.
ઉનાળામાં પાણીની તરસ વધુ હોય છે અને ઠંડુ પાણી પીવાની ઇચ્છા ઊભી થાય છે, પરંતુ દેશી માટલામાં રાખેલું પાણી શરીર માટે વધુ ફાયદાકારક સાબિત થાય છે. કુદરતી રીતે ઠંડુ રહેતું માટલાનું પાણી શરીરને વધારે રાહત પહોંચાડે છે. આ જ સમયે, બજારમાં ડેકોરેટેડ માટલાઓની નવા-નવા વેરાયટીઓ અને અલગ-અલગ ડિઝાઇન સાથે નળ ફિટિંગ કરેલા માટલાઓનું વેચાણ ઉનાળાની શરૂઆતમાં વધી રહ્યું છે.
દેશી અને ચીનાઈ માટીના માટલાઓ વિવિધ પ્રકારના ઉપલબ્ધ છે અને માટલાના ભાવ ૮૦૦ સુધી પહોંચી રહ્યા છે.