ભરૂચ: ૨૦૨૩માં પ્રખ્યાત અભિનેતા શાહરૂખ ખાનના મુંબઈ બંગલા ‘મન્નત’માં બળજબરીથી ઘૂસનાર એક વ્યક્તિની હવે ગુજરાતના ભરૂચમાં ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત પોલીસે બુધવારે આ માહિતી આપી હતી, પોલીસે જણાવ્યું હતું કે રામસ્વરૂપ કુશવાહ (21) ને ભરૂચમાં એક નિવૃત્ત સૈન્ય જવાનના ઘરમાંથી ચોરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
નાયબ પોલીસ અધિક્ષક સીકે પટેલે જણાવ્યું હતું કે આરોપી રામસ્વરૂપ કુશવાહાએ અન્ય એક વ્યક્તિ સાથે ચાર દિવસ પહેલા ઘરમાં ઘૂસીને 2.74 લાખ રૂપિયાથી વધુ કિંમતના સોના-ચાંદીના સામાનની ચોરી કરી હતી. નાયબ પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન કુશવાહાએ પોલીસને જણાવ્યું હતું કે તેણે અગાઉ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં અભિનેતા શાહરૂખ ખાનના બંગલા મન્નતમાં પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.
શાહરૂખ ખાનના બંગલામાં ચોરીનો પ્રયાસ
કુશવાહાએ કહ્યું કે તેમણે ઉચ્ચ સુરક્ષા વાડ તોડીને શાહરૂખ ખાનના બંગલામાં બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ખાનના સુરક્ષા ગાર્ડ્સે કુશવાહ અને તેની સાથે રહેલા વ્યક્તિને પકડી લીધો. આ કેસમાં 2 મે, 2023 ના રોજ સવારે બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ભરૂચ બી ડિવિઝન પોલીસે કુશવાહા અને મિન્હાજ સિંધાની મોના પાર્ક સોસાયટીમાં એક ઘરમાં ચોરી કરવા બદલ ધરપકડ કરી હતી. અમે તેમની પાસેથી ૨.૭૪ લાખ રૂપિયાની ચોરાયેલી વસ્તુઓ જપ્ત કરી છે.