સુરત: શહેરમાં લોકો દ્વારા દર વર્ષે જગન્નાથજી રથયાત્રનો ધાર્મિક તહેવાર હર્ષેલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ પર્વ દરમ્યાન તા.૦૭/૦૭/૨૦૨૪નાં રોજ સુરત શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા રેલ્વે સ્ટેશનથી શરૂ થઇ દિલ્હીગેટથી કલસવાડી સર્કલથી બ્રિજ નીચે થઇ સહારા દરવાજા બ્રિજ નીચેથી રીગરોડ ટેક્ષટાઇલ માર્કેટથી માનદરવાજા, ઉધના દરવાજા બ્રિજ નીચેથી મજુરાગેટ અઠવાગેટથી સરદાર બ્રિજ થઈને ગુજરાત ગેસ સર્કલથી ચોક્સીવાડી ચાર રસ્તા, રાંદેર રોડ નવયુગ કોલેજથી તાડવાડી ત્રણ રસ્તા, પાલનપુર પટીયા રામનગર થઇ મોરાભાગળથી સુભાષબાગ ગાર્ડન સર્કલથી જહાંગીરપુરા ઓવરબ્રિજ નીચેના ત્રણ રસ્તા, જહાંગીરપુરા ઇસ્કોન સર્કલથી ઇસ્કોન મંદિર જાંગીરપુરા ખાતે પૂર્ણ થનાર છે.
સુરત શહેરના રીંગરોડ ટેક્ષટાઇલ માર્કેટ મુખ્યમાર્ગ ઉપરથી સદર રથયાત્રા પસાર થાય છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા હોવાથી મુખ્ય માર્ગ ઉપર વાહનોની મોટી સંખ્યામાં અવર-જવરના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાવાની શકયતા છે. જેથી જાહેર જનતાના હિતાર્થે ટ્રાફિક નિયમન સરળતાથી અને સુચારૂ રીતે થઇ શકે તેમજ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત દ્વારા નીચે જણાવેલ વિસ્તારોમાં નીચેના કૃત્યો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા છે.
:: પ્રતિબંધિત વિસ્તાર અને કૃત્ય :
સુરત શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા રેલ્વે સ્ટેશનથી શરૂ કરી જહાંગીરપુરા ઇસ્કોન મંદિર સુધીના મુખ્ય માર્ગ ઉપર તા.૦૭/૦૭/૨૦૨૩ ના કલાક-૦5/00 થી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ રહેશે.