એક મોટી હૉટેલ બુકિંગ કંપનીએ ઓયો (OYO) તેના ચેક-ઇન નિયમોમાં એક મોટો ફેરફાર કર્યો છે, જે મુજબ હવે અપરિણીત કપલ કંપનીની કોઈપણ હૉટેલમાં રૂમ બુક કરી શકશે નહીં. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, કંપનીએ હાલમાં આ નિયમ મેરઠથી શરૂ કર્યો છે. આ અંતર્ગત ઓયોએ પાર્ટનર હૉટેલ માટે નવી ચેક-ઈન પોલિસી શરૂ કરી છે. આ વર્ષથી એક ગાઈડલાઇન્સ મુજબ, અવિવાહિત યુગલોને ચેક-ઇન માટે આવકારવામાં આવશે નહીં. સુધારેલી નીતિ હેઠળ, તમામ યુગલોને ઓનલાઈન બુકિંગ સહિત ચેક-ઈન સમયે તેમના સંબંધોના માન્ય પુરાવા રજૂ કરવા કહેવામાં આવશે.
કંપનીએ જણાવ્યું હતું કે ઓયો એ તેની ભાગીદાર હૉટેલોને સ્થાનિક સામાજિક સંવેદનશીલતા સાથે સુમેળમાં, તેમની વિવેકબુદ્ધિથી યુગલો માટે બુકિંગ નકારવા માટે સત્તા આપી છે. ઓયોએ મેરઠમાં તેની ભાગીદાર હૉટેલોને તાત્કાલિક અસરથી આની ખાતરી કરવા માટે નિર્દેશ આપ્યો છે. નીતિ પરિવર્તનથી પરિચિત લોકોએ એજન્સીને જણાવ્યું કે ગ્રાઉન્ડ લેવલ પર મળેલા પ્રતિસાદના આધારે કંપની તેને વધુ શહેરોમાં પણ લાગુ કરી શકે છે. તેમણે કહયું, ‘ઓયો’ને પહેલાથી જ નાગરિક સમાજ જૂથો તરફથી પ્રતિસાદ મળ્યો છે, જેમાં તેમને આ મુદ્દાને ઉકેલવા માટે પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે, ખાસ કરીને મેરઠમાં. આ ઉપરાંત, અન્ય કેટલાક શહેરોના રહેવાસીઓએ અવિવાહિત યુગલોને ઓયો હૉટેલમાં ચેક-ઈન કરવાની મંજૂરી ન આપવા માટે અરજીઓ કરી છે.’
ઓયો નોર્થ ઇન્ડિયાના ઍરિયા હેડ પવન શર્માએ જણાવ્યું, ઓયો સુરક્ષિત અને જવાબદાર હૉસ્પિટાલિટી પ્રેક્ટિસ જાળવવા માટે પ્રતિબદ્ધ છે. જ્યારે અમે વ્યક્તિગત સ્વતંત્રતાઓ અને વ્યક્તિગત સ્વતંત્રતાનો આદર કરીએ છીએ, ત્યારે અમે જ્યાં કામ કરીએ છીએ તે બજારોમાં કાયદા અમલીકરણ અને નાગરિક સમાજ જૂથોને સાંભળવાની અને તેમની સાથે કામ કરવાની અમારી જવાબદારીને પણ ઓળખીએ છીએ. અમે સમય સમય પર આ નીતિ અને તેની અસરની સમીક્ષા કરવાનું ચાલુ રાખીશું.
કંપનીએ જણાવ્યું હતું કે પહેલ એ ખ્યાલ બદલવા અને પોતાને એક બ્રાન્ડ તરીકે સ્થાન આપવા માટેના ઓયો ના પ્રોગ્રામનો એક ભાગ છે જે પરિવારો, વિદ્યાર્થીઓ, વ્યવસાય, ધાર્મિક અને સિંગલ પ્રવાસીઓ માટે સલામત અનુભવો આપે કરે છે. વધુમાં, પ્રોગ્રામનો ઉદ્દેશ્ય ગ્રાહકોના વિશ્વાસ અને વફાદારીમાં વધારો કરીને લાંબા સમય સુધી રોકાણ અને પુનરાવર્તિત બુકિંગને પ્રોત્સાહિત કરવાનો છે. ઓયોએ પોલીસ અને હૉટેલ ભાગીદારો સાથે સુરક્ષિત હૉસ્પિટાલિટી પર સંયુક્ત સેમિનાર, કથિત રીતે અનૈતિક પ્રવળત્તિઓને પ્રોત્સાહન આપતી હૉટેલ્સને બ્લેકલિસ્ટ કરવા અને ઓયો બ્રાન્ડિંગનો ઉપયોગ કરીને અનધિકળત હૉટેલ્સ સામે પગલાં લેવા જેવી પહેલો પણ શરૂ કરી છે.