દિલ્હી: અદાણી ગ્રુપના ચેરમેને પુત્ર જીત સાથે ઝુબીન ગર્ગના ઘરે મુલાકાત લઈ પરિવારને મળ્યા તેમજ સ્વર્ગસ્થ ગાયકને શ્રદ્ધાંજલિ આપી હતી.
Yesterday, in Guwahati, I met with the family of Zubeen Garg, a true legend whose music became the heartbeat of the Northeast and whose love for the people will forever resonate across generations.
— Gautam Adani (@gautam_adani) September 29, 2025
May his music and memories continue to inspire millions, and may his noble soul… pic.twitter.com/aRgzGibs64
અદાણી ગ્રુપના ચેરમેન અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના પુત્ર જીત અદાણીએ આસામના ગુવાહાટીમાં સ્વર્ગસ્થ ગાયક-સંગીતકાર ઝુબીન ગર્ગના ઘરે શ્રદ્ધાંજલિ આપવા માટે મુલાકાત લીધી. શુક્રવારે થયેલી મુલાકાત બાદ, રવિવારે ગૌતમ અદાણીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “ગઈકાલે, ગુવાહાટીમાં, હું ઝુબીન ગર્ગના પરિવારને મળ્યો, જે એક સાચા કલાકાર હતા. તેમનું સંગીત ઉત્તરપૂર્વના હૃદયના ધબકારા બની ગયું હતું, અને લોકો પ્રત્યેનો તેમનો પ્રેમ પેઢીઓ સુધી ગુંજતો રહેશે. તેમનું સંગીત અને તેમની યાદો લાખો લોકોને પ્રેરણા આપતું રહે, અને તેમના આત્માને શાંતિ મળે.”


એક અધિકારીએ જણાવ્યું કે અદાણી અને તેમના પુત્રએ અહીં કાહિલીપારા વિસ્તારમાં ગર્ગના નિવાસસ્થાને લગભગ અડધો કલાક વિતાવ્યો અને તેમની પત્ની ગરિમા સૈકિયા ગર્ગને મળ્યા. ઉદ્યોગપતિ, અદાણી ગ્રુપના ઘણા વરિષ્ઠ અધિકારીઓ સાથે, રાત્રે 9 વાગ્યાની આસપાસ સ્થળ પર પહોંચ્યા અને પુષ્પાંજલિ અર્પણ કરી.
અધિકારીએ જણાવ્યું હુતં કે “ગૌતમ અદાણી અને તેમના પુત્ર જીત આ મહાન આસામી વ્યક્તિત્વને સાંત્વના આપવા આવ્યા હતા. તેઓ થોડીવાર માટે ગૌરવ સાથે બેઠા અને ગાયકના અકાળ અવસાન પર શોક વ્યક્ત કર્યો”. ગર્ગનું 19 સપ્ટેમ્બરના રોજ સિંગાપોરમાં દરિયામાં તરતા સમયે અવસાન થયું હતું.


