આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ગૃહમંત્રી અમિત શાહે પણ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સિવાય આજે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની 41મી પુણ્યતિથિ મનાવવામાં આવી રહી છે. આ પ્રસંગે રાહુલ અને સોનિયા ગાંધીએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું, ‘ભારત સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 150મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. તેઓ ભારતના એકીકરણ પાછળ પ્રેરક બળ હતા, આ રીતે તેના રચનાત્મક વર્ષોમાં આપણા રાષ્ટ્રના ભાગ્યને આકાર આપ્યો. રાષ્ટ્રીય અખંડિતતા, સુશાસન અને જાહેર સેવા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. અમે એક, મજબૂત અને આત્મનિર્ભર ભારતના તેમના વિઝનને જાળવી રાખવાના અમારા સામૂહિક સંકલ્પને પણ પુનઃપુષ્ટ કરીએ છીએ.
પીએમ મોદી સવારે 8.20 થી બપોરે 12.20 સુધી કેવડિયામાં ભાગ લેશે. રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન દેશવાસીઓને સંબોધિત કરશે. આ ઉપરાંત 800 થી વધુ IAS અને IPS અધિકારીઓ સાથે પણ વાતચીત કરશે. સમારોહ દરમિયાન, વડા પ્રધાન મોદી એકતા દિવસના શપથ લેવડાવશે અને એકતા દિવસની પરેડ પણ નિહાળશે. આ પરેડમાં BSF, CRPF, CISF, ITBP અને SSB તેમજ વિવિધ રાજ્ય પોલીસ દળોની ટુકડીઓ સામેલ થશે.


