ઇસ્કોન દ્વારા કલકત્તામાં 27 જૂને યોજાનારી પ્રખ્યાત રથયાત્રામાં આ વખતે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ સુખોઈ ફાઇટર પ્લેનનાં ટાયર પર સવારી કરીને આગળ વધશે.
ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજના દિવસે શરૂ થાય છે અને યાત્રા શુક્લ પક્ષની અગિયારસે જગન્નાથજીના પાછા ફરવા સાથે સમાપ્ત થાય છે.
અગાઉ બોઇંગ પ્લેનનાં ટાયરની મદદથી રથ ખેંચવામાં આવતો હતો. બોઇંગનાં ટાયર ખૂબ જૂનાં હતાં જેને કારણે છેલ્લાં 15 વર્ષથી બોઇંગનાં ટાયરનું રિપ્લેસમેન્ટ શોધવામાં આવી રહ્યું હતું. સુખોઈના ટાયરનો વ્યાસ બોઇંગના ટાયર જેવો જ છે જેને કારણે આ વર્ષે સુખોઈનાં ટાયર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.