મુંબઈ: ધારાવીના રિડેવલપમેન્ટ માટે સોલ્ટ પેન-ખારાપટની જમીનના ઉપયોગ સામે કોંગ્રેસ પક્ષનો વિરોધ તેના રાજકીય બેવડા વલણનો એક સ્પષ્ટ કિસ્સો દર્શાવે છે. જ્યારે તેઓ સત્તામાં હતા ત્યારે તેમણે એક સમયે ઉકેલ તરીકે જે પ્રસ્તાવ મૂક્યો હતો, તેઓ હવે વિપક્ષમાં બેઠા ત્યારે તે નિર્ણયને જ વખોડી રહ્યા છે.
મુંબઈ કોંગ્રેસના વડા અને સાંસદ વર્ષા ગાયકવાડ, તેમના બહેન અને ધારાસભ્ય જ્યોતિ ગાયકવાડ સાથે, તાજેતરમાં જ શહેરી જગ્યાની મર્યાદાઓની કઠોર વાસ્તવિકતાઓ અને સરકારમાં હતા ત્યારે તેમના પોતાના પક્ષ દ્વારા દસ્તાવેજીકૃત કરાયેલા તથ્યોને અવગણીને, ધારાવીના તમામ રહેવાસીઓ માટે ખાસ પુનર્વસનની માંગણી કરવાનું જાહેર વલણ અપનાવ્યું છે.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારના સમયે ૪ ફેબ્રુઆરી, ૨૦૦૪ ના રોજ બહાર પાડવામાં આવેલા એક સરકારી ઠરાવ -જીઆર માં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે ધારાવીના રહેવાસીઓ ખાસ કરીને બહુવિધ પાત્ર સભ્યો ધરાવતા પરિવારોને, જો જરૂર પડે ખારાપટની જમીન અને અન્ય સરકારી જમીન પર પુનર્વસન કરી શકાય છે. આ ઠરાવમાં ધારાવીની વિશાળ વસ્તી અને હાલના દરેક પરિવારને સમાવવાની અશક્યતા દર્શાવવામાં આવી હતી.
વધુમાં, 27 સપ્ટેમ્બર, 2011 ના રોજ મુંબઈમાં આયોજિત શહેરી ગરીબી નાબૂદી અને રાજીવ આવાસ યોજના (RAY) પર રાષ્ટ્રીય સ્તરના સંમેલનમાં, તત્કાલીન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે મુંબઈના આવાસ સંકટને હળવું કરવા માટે ખારા પટની જમીનો ખોલવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તત્કાલીન કેન્દ્રીય આવાસ મંત્રી કુમારી શેલજા સહિતનાની હાજરીમાં સભાને સંબોધતા, ચવ્હાણે કહ્યું હતું કે,:
“મુંબઈમાં જમીન એક દુર્લભ વસ્તુ થઇ ગઇ છે. જો ખારા પટને વિકાસ માટે ખુલ્લા મૂકવામાં આવે, તો મુંબઈમાં જમીન પરનું દબાણ કંઈક અંશે ઓછું થઈ શકે છે.”
પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો [PIB લિંક: https://archive.pib.gov.in/archive2/erelease.aspx] દ્વારા સત્તાવાર રીતે આર્કાઇવ કરાયેલ આ બાબત, કોંગ્રેસના ભૂતકાળના નીતિગત વિચારનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. તે જ સંદર્ભમાં આજના સમાન પગલાંનો વિરોધ માત્ર અસંગત જ નથી પણ ધારાવીના રહેવાસીઓના હિત માટે પણ હાનિકારક છે.
ધારાવીમાં ૧૦ લાખથી વધુ લોકો રહેતા હોવાથી, રિડોવલપમેન્ટના સ્તરે ઇન-સીટુ અને વૈકલ્પિક જમીન વિકલ્પો એમ બંનેની જરૂર છે. ખારા પટની જમીનો અને અન્ય સરકારી જમીનો હંમેશા વિચારણા હેઠળના ઉકેલનો ભાગ હતી. જેમાં અગાઉની કોંગ્રેસ સરકારોનો પણ સમાવેશ થાય છે. ગાયકવાડ બહેનોના હાલના રાજકીય નિવેદનો આ વાસ્તવિકતાને અવગણે છે અને ધારાવીના લોકોને મદદ કરવા કરતાં હેડલાઇન્સ મેળવવાનો તેઓ વધુ હેતુ ધરાવે છે.
શહેરી આયોજનને રાજકીય સુવિધાનો હાથો બનાવી શકાય નહીં. કોંગ્રેસ દ્વારા હવે પોતાના ઠરાવો અને નીતિ ઘોષણાઓનો ત્યાગ કરવો એ તકવાદ છે. ધારાવીના પરિવર્તનને સૂત્રોચ્ચાર નહીં, પણ સમર્થનની જરૂર છે.
જવાબદાર નેતૃત્વ માટે પક્ષાપક્ષીથી ઉપર ઊઠીને વાસ્તવિક ઉકેલો તરફ કામ કરવાનો સમય આવી ગયો છે. ધારાવીના લોકો વિરોધાભાસ નહીં, પણ સુસંગતતાને પાત્ર છે.