અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મભૂમિ વડનગરને જિલ્લો બનાવવાની તૈયારીઓ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આંદોલન અને વિરોધની ચીમકી આપી છે. હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર કરી રહેલા જીગ્નેશ મેવાણીએ જણાવ્યું છે કે બનાસકાંઠા જિલ્લામાંથી કિવરડગામ તાલુકાને હટાવીને નવા વડનગર જિલ્લામાં ભેળવી દેવાની બાબતને લઈને સમગ્ર વડગામ તાલુકામાં ભારે રોષ છે. જો સરકાર આવો કોઈ મૂર્ખામીભર્યો નિર્ણય લેશે તો જંગી જનઆંદોલનનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ. મેવાણી વડગામના ધારાસભ્ય છે. તેઓ અહીં બીજી વખત ચૂંટાયા છે. સરકારે પણ વડનગરને જિલ્લો જાહેર કર્યો નથી.
શું છે સરકારની તૈયારી?
સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ગુજરાત સરકાર માત્ર વડનગર જ નહીં પરંતુ રાજ્યમાં ત્રણથી પાંચ નવા જિલ્લા બનાવવા પર કામ કરી રહી છે. સરકાર બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંથી અમુક ભાગ કાઢીને રાધનપુર કે થરાદને જિલ્લો જાહેર કરી શકે છે ત્યારે મહેસાણાનો ભાગ વડનગર જિલ્લામાં રાખવાની તૈયારી ચાલી રહી છે. કચ્છમાં ત્રીજો જિલ્લો બનાવવામાં આવી શકે છે, જો કે જીજ્ઞેશ મેવાણીએ વડગામને વડનગરમાં ઉમેરવાની શક્યતાને લઈને વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે, જો કે સરકારે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. એવી પણ ચર્ચા છે કે ગુજરાત સરકાર વિરમગામને પણ જિલ્લો જાહેર કરી શકે છે. હાર્દિક પટેલ હાલ વિરમગામના ધારાસભ્ય છે. વિરમગામ હવે અમદાવાદનો એક ભાગ છે. આ પછી સુરેન્દ્ર નગર જિલ્લો શરૂ થાય છે. જેને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે.