આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસો અંગે સાબરકાંઠા જિલ્લાની કરી મુલાકાત
આરોગ્ય મંત્રીએ હિંમતનગર GMERS મેડિકલ કોલેજ ખાતે વાયરલ એન્કેફેલાઇટીસની સારવાર હેઠળના બાળ દર્દીઓની મુલાકાત કરીને આરોગ્ય પૃચ્છા કરી
વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરા રોગને અટકાવવા સરકાર કટિબદ્ધ
મંત્રીએ સાબરકાંઠા જિલ્લામાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની સારવાર, વ્યવસ્થા અને ઉપચારાત્મક બાબતો અંગે વિગતવાર સમીક્ષા કરી
આરોગ્ય મંત્રી એ અસરગ્રસ્ત ગામો સહિત જિલ્લાના તમામ ગામોમાં દવા અને સ્પ્રેના છંટકાવ કરવા સૂચન કર્યું
વાયરલ એન્કેફેલાઇટીસના અને પાણીજન્ય રોગો સામે અગમચેતીના ભાગરૂપે આ સૂચન કર્યું
તાવ , ઝાડા , ઉલટીના સામાન્ય લક્ષણો બાળકોમાં જણાઈ આવે તો સ્થાનિક કક્ષાએ રાહ જોયા વિના તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવું – આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ, કમિશનર, સાબરકાંઠા જિલ્લા કલેકટર , જિલ્લા વિકાસ અધિકારી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તબીબો સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યાં..