ગુજરાતના ભરૂચ જિલ્લામાં એક ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટ અને ત્યારબાદ આગમાં બે કામદારોના મોત થયા છે. આ અકસ્માતમાં 20 જવાનો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. આ કેસના એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના સાયખા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં સવારે લગભગ 2.30 વાગ્યે બની હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, ‘ફેક્ટરીની અંદર એક શક્તિશાળી બોઈલર વિસ્ફોટને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી.’ તેમણે કહ્યું કે આગને બાદમાં કાબૂમાં લેવામાં આવી હતી.


