Bengaluru Stampede : દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના IPL ટાઇટલની ઉજવણી દરમિયાન બેંગલુરુમાં 11 લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું, આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ ગણાવી.
આ ઘટના બુધવારે બની હતી જ્યારે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની આસપાસ 2.5 લાખ લોકો તેમના મનપસંદ ક્રિકેટરોની એક ઝલક જોવા માટે એકઠા થયા હતા. ત્યારબાદ થયેલી ભાગદોડમાં 11 લોકો માર્યા ગયા હતા અને 56 ઘાયલ થયા હતા. ભારતના ભૂતપૂર્વ કોચ અને કેપ્ટન દ્રવિડે NDTV ને જણાવ્યું હતું કે તે ખૂબ જ નિરાશાજનક છે. ખૂબ જ દુઃખદ. મારી સંવેદના તે લોકો સાથે છે.
IPL ટીમ રાજસ્થાન રોયલ્સના કોચ દ્રવિડે કહ્યું કે શહેરની રમત સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને આ ઘટના વધુ પીડાદાયક છે. તેમણે કહ્યું કે આ શહેર રમતગમતનો શોખીન છે. હું આ શહેરનો છું. લોકો દરેક રમતને પસંદ કરે છે અને ટીમોને અનુસરે છે, ફક્ત ક્રિકેટ જ નહીં. ફૂટબોલ ટીમ કે કબડ્ડી ટીમ. RCB ના ચાહકોની સંખ્યા મોટી છે.
આ ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારો અને ઘાયલો પ્રત્યે અમારી સંવેદના છે. અકસ્માત બાદ કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી એ શંકર અને ખજાનચી ઇ એસ જયરામે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું. RCB માર્કેટિંગ હેડ નિખિલ સોસાલેની 6 જૂને ધરપકડ કરવામાં આવી હતી.