દિલ્હીઃ અમદાવાદ એરપોર્ટ પર વિમાન દુર્ઘટનાથી સમગ્ર રાજ્યમાં સોંપો પડી ગયો છે. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ટેકઓફ થવા સમયે ક્રેશ થયુ છે. એરપોર્ટ નજીક મેઘાણીનગરમાં આઇજીપી કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયાની ઘટના બાદ તમામ નેતાઓ અને અગ્રણીઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. જેમાં જાણિતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
We are shocked and deeply saddened by the tragedy of Air India Flight 171. Our hearts go out to the families who have suffered an unimaginable loss. We are working closely with all authorities and extending full support to the families on the ground. 🙏🏽
— Gautam Adani (@gautam_adani) June 12, 2025
પાતોના ટ્વિટર હેન્ડલ એક્સ પર ટ્વિટ કરી જણાવ્યુ હતું કે, એર ઇન્ડિયા ફ્લાઇટ ૧૭૧ ની દુર્ઘટનાથી અમે આઘાત અને ખૂબ જ દુઃખી છીએ. અમારી સહાનુભુતી એવા પરિવારો પ્રત્યે છે જેમણે અકલ્પનીય નુકસાન સહન કર્યું છે. અમે તમામ અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ અને જમીન પર રહેલા પરિવારોને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છીએ. 🙏🏽 અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાના સમચાર મળતાં જ તાત્કાલિક ફાયર રેસ્ક્યુ ટીમ પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. વિમાન દુર્ઘટના પછી અમદાવાદના મેઘાણી વિસ્તારમાં આગની જ્વાળાઓ અને કાળા ધુમાડા દૂરથી જોઈ શકાય છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એર ઈન્ડિયાના આ પ્લેનમાં 242થી વધુ મુસાફરો અને ક્રૂ મેમ્બર પ્રવાસ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે.