દેશમાં ઓપરેશન સિંદુર બાદના બનેલા વાતાવરણ અને આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા સાથેના ટેરીફ સહિતના મુદે વાટાઘાટો, ઘરઆંગણે પાક સાથેની અથડામણ મુદે અમરિકાની દરમ્યાનગીરી સહિતના ચગી રહેલા મુદાઓ વચ્ચે આજે મળનારી કેન્દ્રીય કેબીનેટમાં આ અંગે વિચારણા થશે.
ખાસ કરીને વિપક્ષ હવે ઓપરેશન સિંદુર મુદે ચર્ચા કરવા માટે સંસદના ખાસ સત્રની માંગણી કરી રહ્યો છે અને 16 વિપક્ષોએ આ અંગે સરકારને પત્ર લખ્યો છે.
જો કે સરકારના સૂત્રોએ હાલ કોઈ ખાસ સત્ર બોલાવાશે નહી તેવો જવાબ પાઠવી દીધા છે તે વચ્ચે હવે સરકાર જાતિ જનગણનાની ફોર્મ્યુલા મુદે પણ નિર્ણય લેશે અને કેન્દ્રની મોદી-3.0 સરકાર 1 વર્ષ તથા એકંદરે એનડીએ શાસનને 11 વર્ષ પુરા થઈ રહ્યા છે તો સરકારની કામગીરીનો રિપોર્ટ કાર્ડ પણ કેબીનેટમાં રજુ કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ વિદેશમંત્રી શ્રી એસ.જયશંકર કેબીનેટને હાલમાંજ જે સાંસદોનું પ્રતિનિધિમંડળ વિદેશ ગયુ હતું તેનો રિપોર્ટ કાર્ડ રજુ કરશે તો કેબીનેટ સચીવ ટી.વી.સત્યનાથન સરકારની 1 વર્ષની કામગીરીનો રિપોર્ટ આપશે.
સૌથી મહત્વનુ મોદી સરકારે જાતિ જનગણનાનો અમલ કરવા સ્વીકાર કર્યો છે અને હવે તેની ફોર્મ્યુલા નિશ્ર્ચિત કરાશે. દેશમાં 2021ની વસ્તી ગણતરીનું કામ જે શરૂ કરાતુ હતુ તે અટકયુ છે અને વસતિ ગણતરી- જાતિ જનગણનાને કઈ રીતે સાથે જોડી શકાય. આ ઉપરાંત જે રીતે નવા લોકસભા સિમાંકન પણ કર્યુ છે અને એક વખત વસતિ ગણતરી પુરી થયા બાદ તે એજન્ડા હાથ પર લેવાશે.
આમ છેક 2029નો રોડમેપ અત્યારથી જ તૈયાર કરવો પડશે. જેમાં હવે 33% મહિલા અનામતનો મુદો પણ 2029થી અમલમાં મુકવાનો છે. આમ સરકાર પાસે મોટી કામગીરી રાહ જુએ છે અને હવે તે હાથ ધરાશે.