અમેરિકાની બ્રિધમ યંગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ નવી સ્ટડીમાં દાવો કર્યો કે, સોડા, ફ્રૂટ જ્યુસ, એનર્જી ડ્રિંક અને સ્પોર્ટ્સ ડ્રિંક જેવી શુગર-સોડાવાળી ડ્રિંક્સનું સેવન ટાઈપ 2 ડાયાબિટીઝના જોખમને વધારી શકે છે. આ અધ્યયનમાં એવું જોવા મળ્યું છે કે, આ પેય પદાર્થોમાં રહેલા શુગર સીધા શરીરના મેટાબોલિઝમ સિસ્ટમને પ્રભાવિત કરી શકે છે અને તેનાથી ટાઈપ 2 ડાયાબિટીઝનો ખતરો વધી જાય છે.
શોધકર્તાઓએ એવું પણ જાણ્યું કે, જ્યાં વધારે શુગરથી ભરપૂર પેય પદાર્થો ખતરનાક છે, તો વળી પોષણથી ભરપૂર ખાદ્ય પદાર્થો જેમ કે આખા ફળ, ડેરી પ્રોડક્ટ અને આખા અનાજમાં રહેલા શુગર શરીર પર એટલી અસર નથી પાડતા. આ ખાદ્ય પદાર્થોમાં રહેલા ફાઈબર, વસા, પ્રોટીન અને અન્ય પોષક તત્વો શુગરને ધીમે ધીમે બ્લડ ગ્લુકોઝમાં બદલે છે. જેનાથી બ્લડ શુગરનું સ્તર સ્થિર રહે છે અને લીવર પર વધારે પ્રેશર પડતું નથી. એટલા માટે શુગરી ડ્રિંક્સથી દૂર રહેવું જોઈએ.
અધ્યયનમાં શોધકર્તાઓએ લગભગ અડધો મિલિયનથી વધારે લોકોના ડેટાનું વિશ્લેષણ કર્યું, જેમાં જોવા મળ્યું કે, દર 350 મિલીલીટર શુગર યુક્ત પેય પદાર્થોના દૈનિક સેવનથી ટાઈપ 2 ડાયાબિટીઝનો ખતરો 25 ટકા સુધી વધી શકે છે. આ જોખમ પહેલાથી પહેલી સર્વિંગ સાથે શરૂ થઈ જાય છે. એટલે કે કોઈ પણ ન્યૂનતમ સુરક્ષિત માત્રા નથી.
આવી જ રીતે દર 250 મિલીલીટર ફળનો જ્યુસના સેવનથી ટાઈપ 2 ડાયાબિટીઝનું જોખમ 5 ટકા વધી શકે છે. અધ્યયનના મુખ્ય શોધકર્તા કરેન ડેલા કોર્ટે કહ્યું કે, “આ પહેલી વાર છે, જ્યારે અલગ અલગ શુગર સ્ત્રોતો અને ટાઈપ 2 ડાયાબિટીઝની વચ્ચે સ્પષ્ટ ડોઝ રિસ્પોન્સ સંબંધ બતાવ્યો છે.” તેમનું કહેવું છે કે, પેય પદાર્થોથી શુગર લેવું શરીર માટે ફળ અથવા અન્ય ઠોસ ખાદ્ય પદાર્થોની તુલનામાં વધારે હાનિકારક હોય છે.
શોધ ટીમે નિષ્કર્ષ કાઢ્યું કે, શુગર યુક્ત પેય પદાર્થો અને ફળના રસમાં રહેલા શુગર ધીમે ધીમે લીવરના મેટાબોલિક ક્રિયાને પ્રભાવિત કરે છે. જેનાથી લીવરમાં વસા જમા થાય છે અને ઇન્સુલિન પ્રતિરોધ વધે છે. એટલા માટે આ અધ્યયન એ સલાહ આપે છે કે આવા તરલ શર્કરાના સેવન પર આકરી દેખરેખ અને કડક નિયમો બનાવવા જોઈએ, જેથી મેટાબોલિક સ્વાસ્થ્યને નુકસાનથી બચાવી શકાય.