દેશમાં કેન્સરની વધતી જતી બિમારી અને તેમાં અસાધ્ય જેવા બ્લડ કેન્સર એટલે કે રકતના કેન્સરમાં તો મોંઘા ઈલાજો બાદ પણ દર્દીને જીવિત રહેવાની શકયતા નહીવત છે. તેમાં ભારતીય તબીબોએ આ રકત કેન્સરનો કામીયાબ ઈલાજ શોધી કાઢયાનો દાવો થયો છે.
વિખ્યાત ક્રિશ્ચીયન મેડીકલ કોલેજ વેલ્લોરના તબીબોએ આઈસીએમઆરની સાથે આ સફળ કામગીરી કી છે જેને ‘વેલકારટી’ નામ અપાયું હતું અને પ્રથમ વખત કાર-ટી સેલ્સ પ્રયોગશાળામાં બનાવાયા હતા અને તેમાં 80% દર્દીઓને 15 માસ બાદ કેન્સરની મુક્તિ મળી હતી પણ આ કેન્સર ખત્મ થવામાં ફકત 15 દિવસનો ઈલાજ કરવામાં આવ્યો હતો.
આઈસીએમઆર દિલ્હીએ આ અંગે જાહેરાત કરી છે અને કેન્સરનો ઈલાજ સસ્તો-ઝડપી અને સટીક કરી શકાય છે. ભારતમાં આ માટે સ્વદેશી બાયોથેરાપીનો ઉપયોગ કરાયો હતો. આ કેન્સરના ઈલાજના પરિણામો મોલિકયુલર થેરાપી એન્કોલોજી જર્નલમાં પણ પ્રસિદ્ધ કરાયા છે. જેમાં તબીબો છે.
કાર-ટી-થેરપીના માધ્યમથી એકયુટ લિમ્ફોપ્લાસ્ટીક લ્યુકેમિયા (એ.એલ.એલ.) અને લાર્જ બી સેલ્સ લિમ્ફોમા (એલબીસીએલ)નું પરિક્ષણ દર્દી પર કર્યુ હતું. આ બન્ને ફકત કેન્સરના પ્રકાર છે અને દર્દીમાં ટી-સેલ્સ (જે રોગપ્રતિકારક કોશિકાઓ છે) તેને કેન્સરની સામે લડવા તૈયાર કરવામાં આવી હતી.
આઈસીએમઆરના પ્રથમ ટ્રાયલના પરિણામો જાહેર કર્યા છે. જેમાં એએલએલ- કેન્સરની પ્રભાવિત તમામ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. જયારે બીજા પ્રકારના એટલે કે એલબીસીએલ પ્રકારના કેન્સરના 50 દર્દીઓ સ્વસ્થ થયા છે અને કુલ 80% દર્દીઓ 15 માસ બાદ કેન્સર ફ્રી જાહેર કરાયા હતા. વિશ્વમાં કાર-ટી સેલ્સ જોગવાઈમાં 40 દિવસનો સમય લાગે છે પણ ભારતમાં તે ફકત 15 દિવસમાં કરાયો છે.