અદાણી વિદ્યા મંદિર અમદાવાદ (AVMA) એ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે અને દેશની ટોચની શાળાઓમાં સ્થાન મેળવ્યું છે. CBSE દ્વારા જાહેર કરાયેલા ધોરણ 12 ના પરિણામોમાં અદાણી વિદ્યા મંદિર અમદાવાદ (AVMA) ના 100 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ અંગે ખુશી વ્યક્ત કરતા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ એક x પોસ્ટ પોસ્ટ કરી છે.
No Fees! No Limits!
— Gautam Adani (@gautam_adani) May 15, 2025
It was said that they were born with fewer chances. But they studied harder and dreamed bigger!
Our Adani Vidya Mandir Ahmedabad was just ranked among India’s top schools with 100% CBSE results. Proof that when belief meets opportunity, magic happens!
Also,… pic.twitter.com/jo4B1o4NJB
જાણિતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ લખ્યું છે કે કોઈ ફી નહીં… કોઈ મર્યાદા નહીં… એવું કહેવાય છે કે તેઓ ઓછી તકો સાથે જન્મ્યા હતા, પરંતુ તેમણે સખત મહેનત કરી અને મોટા સપના જોયા. અમદાવાદમાં આવેલ આપણા અદાણી વિદ્યા મંદિરને તાજેતરમાં CBSE માં 100% પરિણામ સાથે દેશની ટોચની શાળાઓમાં સ્થાન મળ્યું છે. આ એ વાતનો પુરાવો છે કે જ્યારે શ્રદ્ધાને તક મળે છે, ત્યારે જાદુ થાય છે. તેમજ અદ્ભુત શિક્ષકો અને સ્ટાફનો તેમના અથાક પ્રયત્નો બદલ હૃદયપૂર્વક આભાર!
અદાણી વિદ્યા મંદિર અમદાવાદ 2008 થી શૈક્ષણિક રીતે પ્રતિભાશાળી પરંતુ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓના જીવનમાં પરિવર્તન લાવી રહ્યું છે. આ શાળા 2008 થી આર્થિક રીતે નબળા બાળકોને મફત શિક્ષણ આપી રહી છે અને હવે તે દેશની ટોચની શાળાઓમાંની એક બની ગઈ છે.
13 મેના રોજ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ 12 ના પરિણામોની જાહેરાત સાથે, શાળાએ NABET રેન્કિંગમાં 250 માંથી 232 ગુણ મેળવ્યા છે, જેનાથી તે દેશની ગરીબ શાળાઓમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે. આ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા હેઠળના નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગના નવીનતમ રેટિંગ મુજબ છે. 2020 ની શરૂઆતમાં, અદાણી વિદ્યા મંદિર ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા હેઠળ નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ દ્વારા માન્યતા પ્રાપ્ત કરનાર દેશની પ્રથમ મફત શાળા બની હતી.
આ નવી અને મહાન સિદ્ધિ અદાણી ફાઉન્ડેશનના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતા સમાવિષ્ટ, ઉચ્ચ-ગુણવત્તાવાળા શિક્ષણ પ્રદાન કરવાના મિશન સાથે સુસંગત છે. CBSE ધોરણ 12 ના જાહેર થયેલા પરિણામો અનુસાર, અદાણી વિદ્યા મંદિર અમદાવાદે 100 ટકાની પ્રભાવશાળી પાસ ટકાવારી હાંસલ કરી છે.
અમદાવાદના અદાણી વિદ્યા મંદિરના અલ્વિના રોય અને જય બાવસ્કરે અનુક્રમે માનવતા અને વિજ્ઞાન પ્રવાહમાં ૯૭.૬ ટકા ગુણ મેળવ્યા. ફેબ્રુઆરીમાં, અદાણી વિદ્યા મંદિર અમદાવાદને ‘વંચિતો માટેની શાળાઓ/શિક્ષણના અધિકાર અમલીકરણ’ શ્રેણીમાં ‘રાષ્ટ્રીય વિજેતા’ જાહેર કરવામાં આવ્યું હતું અને શિક્ષણ રાજ્ય મંત્રી ડૉ. સુકાંત મજુમદાર દ્વારા ‘સમગ્ર શિક્ષા પુરસ્કાર’ પ્રાપ્ત થયો હતો.
ફેબ્રુઆરીમાં AVMA ને ‘રાષ્ટ્રીય વિજેતા’ અને ‘સમગ્ર શિક્ષા પુરસ્કાર’ પણ એનાયત કરવામાં આવ્યો હતો. શાળાએ અભ્યાસક્રમમાં ટકાઉ વિકાસ લક્ષ્યોનો સમાવેશ કર્યો છે અને યુનિસેફ, ગુજરાત સાયન્સ સેન્ટર જેવી સંસ્થાઓ સાથે સહયોગથી STEM શિક્ષણને પ્રોત્સાહન આપી રહી છે. પર્યાવરણ અને કરુણા પર ભાર મૂકવા બદલ તેને ઇન્ટરનેશનલ ગ્રીન સ્કૂલ અને કાઇન્ડનેસ સ્કૂલ એવોર્ડ્સ પણ મળ્યા. અદાણી ફાઉન્ડેશનના આ પ્રયાસથી 3,000 થી વધુ વિદ્યાર્થીઓ લાભ મેળવી રહ્યા છે. અદાણી વિદ્યા મંદિર સ્કૂલ ચાર કેમ્પસ દ્વારા 3,000 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડે છે. ગુજરાતમાં અમદાવાદ અને ભદ્રેશ્વર, છત્તીસગઢમાં સુરગુજા અને આંધ્રપ્રદેશમાં કૃષ્ણપટ્ટનમમાં શાળાઓ છે.


