ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયો હોવા છતાં, સરકારના મતે ઓપરેશન સિંદૂર ચાલુ છે, જ્યારે બીજી તરફ બહિષ્કાર પાકિસ્તાન અભિયાન પણ તીવ્ર બની રહ્યું છે. આ અંતર્ગત હવે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ એમેઝોન અને ફિ્લપકાર્ટ સહિતની ઈ-કોમર્સ કંપનીઓને નોટિસ જારી કરી છે અને તેમને પાકિસ્તાન સંબંધિત ધ્વજ અને વસ્તુઓ દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. ભારતે પાકિસ્તાનને તેના સરહદી હુમલાઓનો જોરદાર ફટકો આપીને ઘૂંટણિયે પાડી દીધું હતું અને હવે તે તેના પર આર્થિક ફટકો મારીને તેની મુશ્કેલીઓમાં સતત વધારો કરી રહ્યું છે.સરકારે પાકિસ્તાનના ધ્વજ અને તેને લગતી વસ્તુઓ વેચવા બદલ કેટલીક મોટી ઓનલાઈન શોપિંગ વેબસાઇટ્સને ઠપકો આપ્યો છે અને તેમને તાત્કાલિક આમ કરવાનું બંધ કરવાનો આદેશ આપ્યો છે. વેપારીઓના એક મોટા સંગઠને પણ આ મામલે સરકાર પાસે કાર્યવાહીની માંગ કરી હતી.
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ કહ્યું છે કે ઈ-કોમર્સ સાઇટ્સ પર પાકિસ્તાની ધ્વજ અને અન્ય સંબંધિત વસ્તુઓનું વેચાણ નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે અને બધી કંપનીઓએ તેને તાત્કાલિક અસરથી દૂર કરવું જોઈએ. તમને જણાવી દઈએ કે કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ પણ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને પત્ર લખીને આ સંબંધિત ચિંતાઓ વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ભારત-પાકિસ્તાન તણાવ અને સંઘર્ષ છતાં, દેશમાં ઈ-કોમર્સ સાઇટ્સ પર પાકિસ્તાની ધ્વજ અને અન્ય વસ્તુઓ મુક્તપણે વેચાઈ રહી છે. આ પછી, CCPA એ હવે તેમનું વેચાણ તાત્કાલિક બંધ કરવા માટે નોટિસ જારી કરી છે.
પાકિસ્તાની વસ્તુઓના વેચાણ સામે CCPAના નિર્દેશ સંબંધિત માહિતી ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ તેમના ટ્વિટર (હવે X) એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા શેર કરી છે. તેમણે લખ્યું, સરકારે ઈ-કોમર્સ પ્લેટફોર્મને નોટિસ મોકલી છે. આ કંપનીઓ પર તેમના ઓનલાઈન પ્લેટફોર્મ પર પાકિસ્તાની ધ્વજ અને સંબંધિત વસ્તુઓ વેચવાનો આરોપ છે. તેમણે પોસ્ટમાં વધુમાં કહ્યું કે આ અસંવેદનશીલતા છે અને આવી બાબતો સહન કરવામાં આવશે નહીં. બધી ઈ-કોમર્સ કંપનીઓને આવા ઉત્પાદનો તાત્કાલિક દૂર કરવા અને દેશના કાયદાઓનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.
૨૨ એપ્રિલે શ્રીનગરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ભારતે ૬-૭ મેની રાત્રે ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો, જેમાં પાકિસ્તાન અને ભ્બ્ધ્માં ૯ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આમાં લગભગ ૧૦૦ આતંકવાદીઓ માર્યા ગયા હતા. અગાઉ, ભારતે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને સિંધુ જળ સંધિને સ્થગિત કરીને પાકિસ્તાન પર પાણીનો પ્રહાર કર્યો હતો, જ્યારે તે જ સમયે તેણે અટારી સરહદ બંધ કરીને ભારે આર્થિક ફટકો માર્યો હતો. હવે યુદ્ધવિરામ પછી પણ ભારત તરફથી કાર્યવાહી ચાલુ છે.
ભારતમાં પાકિસ્તાન વિરોધી લહેર છે એટલું જ નહીં, દેશવાસીઓએ પાકિસ્તાનને સમર્થન આપતા દેશો સામે બહિષ્કાર ઝુંબેશ પણ તેજ કરી દીધી છે. આ કિસ્સામાં, તુર્કી સૌથી મોટું લક્ષ્ય છે અને બાયકોટ તુર્કી દ્વારા, જ્યાં વેપારીઓએ ટર્કિશ એપલ ખરીદવાનું બંધ કરી દીધું છે, ત્યાં તુર્કી માટે ઘણી ટ્રાવેલ એજન્સીઓ, જે મોટાભાગે પર્યટન પર નિર્ભર છે, તેમણે પણ ટ્રાવેલ પેકેજો રદ કર્યા છે.
ટ્રાવેલ પ્લેટફોર્મ EasyMyTrip એ રાષ્ટ્ર પહેલા, વ્યવસાય પછી સૂત્ર ઉઠાવ્યું છે અને પ્રવાસીઓને પાકિસ્તાનને ટેકો આપતા દેશોમાં મુસાફરી ન કરવાની સલાહ આપી છે. MakeMyTrip એ અઝરબૈજાન અને તુર્કી માટે બુકિંગમાં ૬૦% ઘટાડો નોંધાવ્યો હતો, જ્યારે માત્ર એક અઠવાડિયામાં રદ કરવાની સંખ્યામાં ૨૫૦% વધારો થયો હતો.