- ધારાવીમાં આયોજિત અત્યાર સુધીના સૌથી મોટા આંખના કેમ્પનો 3000 રહેવાસીઓને લાભ લીધો
ધારાવી સોશિયલ મિશન (DSM) દ્વારા આયોજિત મોટા પાયે યોજાયેલા કેમ્પ દરમિયાન, ધારાવીના 3,000 રહેવાસીઓએ મફત આંખની તપાસ કરાવી હતી. ધારાવીમાં અત્યાર સુધીની આ સૌથી મોટી પહેલ છે, જે ધારાવી રિસોર્સ સેન્ટર સહિત અનેક સ્થળોએ યોજાઈ હતી, જે સંપુર્ણ આરોગ્યસંભાળ તરફનો એક મહત્વપૂર્ણ પગથિયો છે.
માર્ચ મહિના દરમિયાન યોજાયેલા આ કેમ્પમાં ધારાવીકરોમાં વિવિધ સેકટર અને સમુદાયને આવરી લીધો હતો. 83% લોકોને રીફ્રેક્ટિવ એરર અથવા પ્રેસ્બાયોપિયા હોવાનું જાણવા મળ્યું, જેમાં ઘણાને ખબર નહોતી કે એક સરળ ચશ્મા તેમના રોજિંદા જીવનમાં પરિવર્તન લાવી શકે છે. 1200 થી વધુ રહેવાસીઓને સ્થળ પર જ પ્રિસ્ક્રિપ્શન ચશ્મા પૂરા પાડવામાં આવ્યા હતા, જ્યારે 1000 થી વધુ લોકોને વાંચન માટેના ચશ્મા પ્રાપ્ત થયા હતા. આમ કુલ મળીને, 61% લાભાર્થીઓ પહેલી વાર ચશ્મા પહેરનારા હતા, જે ગીચ વસ્તીવાળા વિસ્તારમાં મૂળભૂત આંખની સંભાળની લાંબા સમયથી અભાવની બાબતને ઉજાગર કરે છે.
મહત્વપૂર્ણ વાત એ છે કે, આ પહેલથી આંખ સંબંધિત વધુ ગંભીર ચિંતાઓ સામે આવી છે. ૧૯૦ થી વધુ રહેવાસીઓને અદ્યતન સંભાળ માટે હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા હતા, જેમાંથી ૬૦% લોકોને ગંભીર મોતિયા અથવા દ્રષ્ટિ સંબંધિત અન્ય જટિલ ક્ષતિઓ હોવાની શંકા હતી. તપાસ કરાયેલા તમામ લોકોમાં ૫૪% મહિલાઓ હતી, જે એક એવા સમુદાયમાં નોંધપાત્ર સંખ્યા છે જ્યાં તબીબી સુવિધાઓ ઘણીવાર મહિલા રહેવાસીઓને અવગણતી હોય છે. NMDPL ના પ્રવક્તાના જણાવ્યા અનુસાર,” આ કેમ્પમાં પાયાના સ્તરે જાગૃતિના પ્રયાસો અને સ્થાનિક સ્વયંસેવકોના સમર્થન દ્વારા ઉચ્ચ ભાગીદારી શક્ય બની હતી.”
તેમણે ઉમેર્યું કે, લોકો-કેન્દ્રિત પરિવર્તન આ રીતે દેખાય છે, અમે ફક્ત ધારાવીના ભૌતિક વાતાવરણને જ બદલી રહ્યા નથી, અમે વાસ્તવિક, મૂર્ત રીતે જીવનને વધુ સારૂ બનાવવા માટે પણ કામ કરી રહ્યા છીએ.”
69 વર્ષીય દરજી એવા પી સેલ્વે નાયક લાભાર્થીઓમાંના એક હતા. શિબિરમાં તેમને પ્રેસ્બાયોપિયા હોવાનું નિદાન થતાં, તેમને વાંચન ચશ્મા આપવામાં આવ્યા હતા. વર્ષોથી, નબળી દ્રષ્ટિને કારણે તેમના માટે તેમનું જટિલ સિલાઈનું કામ કરવું મુશ્કેલ બન્યું હતું. “આ ચશ્માએ મને મારું કામ, મારી દિનચર્યા અને મારી સ્વતંત્રતા પાછી આપી,” તેમ તેમણે કહ્યું.
અહીંના ૫૩ વર્ષીય ડ્રાઇવર કુમાર થંગરાજ માટે, ચશ્માનો અર્થ સલામતી અને આત્મવિશ્વાસ પાછો ફરવાનો હતો. “રસ્તાના ચિહ્નો અને દસ્તાવેજો વાંચવાનું મુશ્કેલ બની ગયું હતું. હવે, હું ખચકાટ વિના વાહન ચલાવવાનું શરૂ કરી રહ્યો છું. મને હવે બીજા પર નિર્ભરતા રાખવી નથી પડતી,” તેમણે કહ્યું.
ધારાવીમાં ઘણા લોકો માટે, સ્પષ્ટતા હવે દૂર સુધી રહેતી નથી. તે તેમની આંખોની સામે જ છે.
ચોકાવનારા આંકડા:
• ૮૩% ધારાવીકરોમાં રીફ્રેક્ટિવ એરર અથવા પ્રેસ્બાયોપિયા હોવાનું જણાયું હતું
• ૧,૦૩૨ વ્યક્તિઓને વાંચન ચશ્મા આપવામાં આવ્યા, અને ૧,૨૩૫ લોકોને પ્રિસ્ક્રિપ્શન ચશ્મા આપવામાં આવ્યા
• ૬૧% પ્રાપ્તકર્તાઓ પહેલી વાર ચશ્મા વાપરનારા હતા
• ૧૯૦ થી વધુ રહેવાસીઓને હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા, જેમાં ૬૦% લોકોને ગંભીર મોતિયા અથવા અન્ય જટિલ પરિસ્થિતિઓ હોવાની શંકા છે.
• ૩,૦૦૦ લોકોની તપાસ કરવામાં આવી, જેમાં ૫૪% મહિલાઓ હતી.
— END —
For more information, please contact:
Rakhi Kankane: [email protected] | NMDPL
Makarand Gadgil: [email protected] | NMDPL
Pankaj Mudholkar: [email protected] | Aakriti Promotions and Media Limited