ભારત પાકિસ્તાન યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે અમરેલી જિલ્લાના મદ્રેસાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન મળી આવતા પોલીસ પણ ચૌકી ગઈ હતી. જો કે ધારી પોલીસે જાણવાજોગ નોંધ કરી મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિ સામે તપાસ શરૂ કરી છે.
પાકિસ્તાનની નાપાક હરકત બાદ હવે ગુજરાત પોલીસ શક્રિય થઈ ગઈ છે અને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે, ત્યારે અમરેલીના મૌલાના મોહમદફઝલ અબ્દુલઅજીજ શેખના મૂળ રહેઠાણ અંગે કોઈ પુરાવા મળ્યા નથી. પરંતુ તેના મોબાઈલમાંથી “પાકિસ્તાન” અને “અફઘાનિસ્તાન”ના સોશ્યલ મીડિયામાં ગૃપ મળી આવતા પોલીસે કમરકસી છે.
તાબડતોડ સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ(SOG)ની ટીમ દ્વારા મૌલાનાનો મોબાઈલ કબ્જે લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. મદ્રેશામાંથી ઝડપાયેલા આ શંકાસ્પદ મૌલાનાની પૂછપરછમાં અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનું જણાવા મળ્યુ છે. જો કે તે કેટલા સમયથી અહીં રહેતો હતો અને અત્યાર સુધી અહીં કોણ કોણ આવતું હતું તેમજ પાકિસ્તાનમાં તેના કોની કોની સાથે સંપર્ક હતા? આ સમગ્ર બાબતોની હાલ પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે તપાસ શરૂ કરવામાં આવી છે.