એરપોર્ટ બિઝનેસમાં વિઝન સાથે વૃદ્ધિને પ્રાથમિકતા
દેશના સાત મોટા એરપોર્ટનું સંચાલન કરતી અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) ના ડિરેક્ટર જીત અદાણીએ તેમની મહત્વાકાંક્ષી યોજનાઓ વિશે જણાવ્યું છે. એક જાણીતા અખબારને ઈન્ટર્વ્યુ આપતા તેમણે એરપોર્ટ બિઝનેસમાં.1 ટ્રિલિયન કેપેક્સનો મહત્વાકાંક્ષી પ્લાન પણ જણાવ્યો હતો. AAHL ને સૂચિબદ્ધ કરતા પહેલાના ટ્રિગર પોઈન્ટ્સમાં નવી મુંબઈ એરપોર્ટનાં વ્યાપારીકરણ અને તેના સ્ટેબીલીટી વિશે પણ પ્રકાશ પાડ્યો હતો.
પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ સ્નાતક થયેલા અને અદાણી જૂથના ડિજિટલ અને સંરક્ષણ વ્યવસાયો સંભાળતા 27 વર્ષીય જીત અદાણીએ એરપોર્ટ બિઝનેસ વિશે તેમના વિઝનની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં અદાણી જૂથ આશરે રૂ. 1 ટ્રિલિયનનું રોકાણ આકર્ષવાની અપેક્ષા રાખે છે.
જીત અદાણીએ જણાવ્યું હતું કે, “અમે એરલાઇન્સ પાસેથી કોઈ શુલ્ક લેવા માંગતા નથી. અમારું અંતિમ વિઝન એરલાઇન્સનું એરપોર્ટ પર વર્કીંગ મફત બનાવવાનું છે. અમે માત્ર સિટી સાઇડ ડેવલપમેન્ટ અને નોન-એરો સ્ત્રોતોમાંથી અમારું સંપૂર્ણ વળતર મેળવવા માંગીએ છીએ. ત્યારબાદ અમારે રેગ્યુલેટર (AERA, જે એરપોર્ટસ માટે ચાર્જ નક્કી કરે છે) સાથે લડવાની જરૂર નથી“.
AAHLમાં એરો વિ નોન-એરો આવકના હિસ્સા વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે “અમે ઈચ્છીએ છીએ કે આગામી પાંચ વર્ષમાં હવાઈ આવકનો હિસ્સો નોન-એરો રેવન્યુમાં હોય. અત્યારે એરો વિરુદ્ધ નોન-એરોનો હિસ્સો 55 વિરુદ્ધ 45 છે. આગામી પાંચ વર્ષમાં લગભગ 10-15 ટકા ઉમેરો કરવા કવાયત કરવી પડશે. અમને લાગે છે કે 10-15 વર્ષોમાં એરોની આવકનો હિસ્સો 10 ટકાથી ઓછો હશે કારણ કે એકવાર શહેરની બાજુનો વિકાસ થશે, તે કુલ આવકના લગભગ 40-50 ટકા આપશે”.
એરલાઈન્સ વિશે વાતચીત કરતા જીત અદાણીએ જણાવ્યું હતું કે, આપણા દેશમાં ટૂંકા તેમજ લાંબા અંતરના રૂટ પર મજબૂત એરલાઇન્સ છે. “એર ઈન્ડિયા અને ઈન્ડિગો અત્યારે સ્થાનિક પેસેન્જર માર્કેટમાં 90 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. એરપોર્ટ માટે સકારાત્મક બાબત એ છે કે અમારી પાસે આંતરરાષ્ટ્રીય મુસાફરી કરવા ભારતીય હબનો ઉપયોગ કરીને ભારતીય મુસાફરોની મોટી સંખ્યા હશે“.
કોન્સોલિડેશન અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા જીતે જણાવ્યું હતું કે “મને લાગે છે કે ઓફ એરલાઇન કોન્સોલિડેશનના ગેરફાયદા કરતા ફાયદા વધારે છે. હું તેનાથી વધુ ઉત્સાહિત છું કારણ કે આખરે અમે એર ઈન્ડિયા સાથે 10 વર્ષની યોજના વિશે વિમર્શ કરી શકીએ છીએ. જો એર ઈન્ડિયા નવીમુંબઈ એરપોર્ટને તેનું હબ બનાવવા માંગે, તો અમે તેના માટે હવે આયોજન શરૂ કરી શકીએ છીએ“.
જીત જણાવે છે કે “ નવી મુંબઈ એરપોર્ટ માર્ચ 2025 સુધીમાં શરૂ થવા જઈ રહ્યું છે. માર્ચ સુધીમાં તબક્કો 1 પૂર્ણ થયા પછી ફેઝ 2 શરૂ કરવાનું નક્કી કર્યું છે. અગાઉ, યોજના 2027 અથવા 2028 થી ફેઝ 2 નું બાંધકામ શરૂ કરવાની હતી”.
“અમે અમારો એરપોર્ટ બિઝનેસ શરૂ કર્યો ત્યારથી નોન-એરો રેવન્યુ લગભગ ત્રણ ગણી વધી છે. આગામી બે વર્ષોમાં નોન-એરોગ્રોથ સ્ટેપ જમ્પ થવા જઈ રહ્યો છે. તેનાથી મોટા પ્રમાણમાં રેવન્યુ જનરેટર થશે. એકવાર આ ત્રણ વસ્તુઓ થઈ જાય પછી, AAHLનું EBITDA જે આજે લગભગ $300 મિલિયન છે, તે વધીને $1-1.5 બિલિયન થઈ જશે. ત્યારબાદ આ વ્યવસાયને સૂચિબદ્ધ કરવા અને મૂલ્ય વૃદ્ધિ દર્શાવવા આરામદાયક હોઈશું. બે ત્રણ વર્ષમાં આ EBITDA સ્તર પ્રાપ્ત કરી શકીશું”.
નોન-એરો રેવન્યુ વૃદ્ધિ અંગે જણાવતા તેઓ જણાવે છે કે “નોન-એરો રેવન્યુની વૃદ્ધિને વેગ આપવા અમે ઉપભોક્તા સમૂહોનું બ્રાન્ડ્સ સાથે જોડાણ કરી રહ્યા છીએ. આ કવાયતથી આવકમાં લગભગ 15-20 ટકા વૃદ્ધિ થશે. એરપોર્ટ ઓપરેટર તરીકે અમે દરેક વસ્તુનો કોન્ટ્રાક્ટ આપીએ છીએ. અમે બિલ્ડિંગ બનાવીએ છીએ અને ત્યાં અલગ-અલગ કંપનીઓ આવીને કામ કરે છે. નોન એરો રેવન્યુ અંગેની અમારી સમગ્ર વ્યૂહરચમાં, કાર પાર્કિંગ, ડ્યુટી ફ્રી, લાઉન્જ, ફૂડ એન્ડ બેવરેજીસ (F&B), છૂટક સેવાઓ વગેરેથી લઈને દરેક વસ્તુની માલિકીની જરૂર છે.
આગામી પાંચ વર્ષ માટે AAHL ની યોજના અંગે વાત કરતા જીત જણાવે છે કે, “જે રીતે અમે અમારી ફાઇનાન્સિંગ અને બધું કર્યું છે — તે આગામી પાંચ વર્ષ માટે રૂ. 1 ટ્રિલિયનથી વધુ છે. હાલના ટર્મિનલના વિસ્તરણ અને એરપોર્ટ પર નવા ટર્મિનલ બનાવવા આશરે રૂ. 20,000 કરોડનો ઉપયોગ કરવામાં આવશે. આશરે રૂ.20,000 કરોડનો ઉપયોગ મુંબઈ, અમદાવાદ, લખનૌ અને જયપુરના એરપોર્ટ પર પ્રારંભિક સિટીસાઇડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે કરવામાં આવશે. નવી મુંબઈ એરપોર્ટ પર બીજા તબક્કાના બાંધકામ માટે લગભગ રૂ. 18,000 કરોડનો ઉપયોગ કરવામાં આવશે. અમે ભાવિ મર્જર, એક્વિઝિશન અને કેન્દ્ર સરકારના એરપોર્ટ મુદ્રીકરણ (ખાનગીકરણ)ના આગામી રાઉન્ડ માટે લગભગ રૂ. 20,000 કરોડ પણ રાખી રહ્યા છીએ. જો કોઈ આંતરરાષ્ટ્રીય તક અમારા માટે ફળીભૂત થાય તો અમે તે ભંડોળ રાખીએ છીએ”.
આઠ એરપોર્ટની આસપાસ લગભગ 657 એકર જમીન પરની યોજના વિશે જણાવતા જીત કહે છે કે ”અમારા તમામ એરપોર્ટ શહેરોની મધ્યમાં છે. અમે માત્ર હોટલ, અથવા ફક્ત કન્વેન્શન હોલ, અથવા ફક્ત રિટેલ આઉટલેટ્સ અથવા ફક્ત ઑફિસો પર ધ્યાન કેન્દ્રિત ન કરીને, ત્યાં સંપૂર્ણ મિશ્ર ઉપયોગ વિકાસ બનાવવા માંગીએ છીએ”.
“મુંબઈ, અમદાવાદ, લખનૌ અને જયપુરમાં ટર્મિનલની આસપાસ પ્રથમ ચાર શહેરી વિકાસ પ્રોજેક્ટ્સ શરૂ થઈ ચૂક્યા છે. મુંબઈ અને અમદાવાદમાં બાંધકામ શરૂ થઈ ગયું છે. અમદાવાદમાં, અમે સારી ગુણવત્તાવાળી હોટેલ અને કન્વેન્શન સેન્ટરની મોટી જરૂરિયાત જોઈ. મુંબઈમાં આપણે સારી હોટલોની અછત જોઈએ છીએ. તેથી અમે ત્યાં હોટલ બનાવી રહ્યા છીએ. અમદાવાદની જેમ મુંબઈમાં પણ મોટા ફોર્મેટ કન્વેન્શન સેન્ટરની જરૂર છે”.
“એરપોર્ટ્સ રેગ્યુલેટર્સની સામે માસ્ટર પ્લાન મૂક્યા બાદ અમને નવું ટેરિફ માળખું આપવામાં આવ્યું, તેના કારણે આવકમાં થોડો વધારો થયો છે. એકવાર સિટીસાઇડ ડેવલપમેન્ટ થયા બાદ અમારે ટેરિફની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સિટીસાઇડ જ મેમી રિટર્ન આપશે”.
એરપોર્ટ બિઝનેસમાં આંતરરાષ્ટ્રીય યોજનાઓ વિશે જણાવતા તેઓએ જણાવ્યું હતું કે, “અમે આંતરરાષ્ટ્રીય વિસ્તરણ ત્યારે જ કરીશું જ્યારે તે ભારતને તેના નેટવર્કમાં ઉમેરશે. અમે હાઈફા, કોલંબો અથવા ઑસ્ટ્રેલિયાના બંદરો સુધી વિસ્તરણ કર્યું હોવા છતાં, તે જ શિપમેન્ટ નેટવર્ક પર અમે કામ કરી રહ્યા છીએ”.
અમારી પાસે ભારતનું નેટવર્ક છે અને અમે પૂર્વ આફ્રિકા, દક્ષિણ એશિયા, મધ્ય પૂર્વ, અમારા પડોશી દેશો વગેરેને જોઈશું. આ એવા સ્થાનો છે જે ભારત સાથે ઘણા બધા સંબંધ ધરાવે છે અને અમે ભારતની વાર્તા પર રમવાનું ચાલુ રાખવા માંગીએ છીએ. અમે કેન્યાની સરકાર સાથે ચર્ચા કરી રહ્યા છીએ પરંતુ હજુ સુધી તેને અંતિમ સ્વરૂપ આપ્યું નથી.
ઈન્ડિગોમાં ઉદ્યોગની મોટી અને નફાકારક એરલાઈન્સ છે, જે ભારતમાં આશાનું કિરણ છે. ઉડ્ડયન ઉદ્યોગ ખૂબ જ ફેન્સી ઈન્ડસ્ટ્રી છે. સારી વાત એ છે કે અમારી પાસે પરિપક્વ અને અનુભવી ઓપરેટરો છે. જ્યારે હું IndiGo અને AirIndia સાથે વાત કરું છું, ત્યારે તેમને કહું છું કે તેઓ ઘણા બધા પ્લેનનો ઓર્ડર આપી રહ્યા છે. ઉડ્ડયન ઉદ્યોગમાં વૃદ્ધિની ખૂબ જ સંભાવનાઓ છે.
જીત અદાણી જણાવે છે કે, “અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે ડિજિટલ તેમજ ભૌતિક અનુભવ બંને ગ્રાહક માટે અદાણીનો અનુભવ હોવો જોઈએ. અમે ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસ કંપની નવી મુંબઈ એરપોર્ટમાં માર્ચમાં શરૂ કરીશું”.