૧૯/૦૮/૨૦૨૪ નાં રોજ રક્ષાબંધનનાં પવિત્ર તહેવાર નિમિત્તે સુરત સીટીલીંક લી. અંતર્ગત કાર્યરત BRTS બસો તેમજ સીટીબસોમાં તમામ બહેનો તેમજ તેમના ૧૫ વર્ષનાં બાળકોને ફ્રીમાં મુસાફરી કરવા બાબતની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આથી શહેરની તમામ બહેનોને જાહેર પરિવહન સેવાનો વધુને વધુ લાભ લેવા બાબતે અનુરોધ કરવામાં આવે છે.
સુરત મહાનગરપાલિકાનાં જાહેર પરિવહન સમિતિનાં અધ્યક્ષશ્રીના સુચન અન્વયે રક્ષાબંધનનાં પવિત્ર તહેવારના દિવસે બહેનો અને તેમના ૧૫ વર્ષ સુધીના બાળકોને BRTS બસો તેમજ સીટીબસમાં ફ્રી મુસાફરી કરવા દેવા અંગે જણાવવામાં આવ્યું હતું.
સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેરીજનોને સુરત શહેર તથા આજુબાજુ વિસ્તારમાંBRTSઅને સીટીબસની સુવિધા રાહત દરે પૂરી પાડવામાં આવી રહેલ છે. શહેરના નાગરિકો દ્વારા બસ સેવાનો ખુબજ સારા પ્રમાણમાં લાભ લેવામાં આવી રહેલ છે. જેના પરિણામે મુસાફરોની સંખ્યામાં ઉતરો-ઉતર વધારો થઇ રહેલ છે.
સમગ્ર ભારતમાં સુરત શહેર માત્ર એક જ શહેર છે જ્યાં એક ટીકીટ થી સીટીબસ અને BRTSમાં મુસાફરી કરી શકાય છે. હાલમાં BRTSના કુલ ૧૩ રૂટ તેમજ સીટીબસના કુલ ૪૫ રૂટ ઉપર આશરે દૈનિક ૨,૦૦,૦૦૦ જેટલા નાગરિકો જાહેર પરિવહન સેવાનો લાભ લઇ રહેલ છે.