હોટલાઇન ન્યૂઝ
ગઇકાલે આર્યલેન્ડ સામે શાનદાર જીત સાથે ભારતીય કપ્તાન રોહિત શર્માએ ટી-20 વર્લ્ડ કપમાં અનેક રેકોર્ડ તેના નામે કર્યા હતા. ખાસ કરીને નવા બનેલા મેદાન ઉપર ફિકટી કરનાર પ્રથમ ખેલાડી રોહિત બન્યો હતો. તેઓએ 37 બોલમાં 3 છગ્ગા સાથે પર રન બનાવ્યા હતા.
આ ઉપરાંત આ મેચ દરમ્યાન રોહિતે એક ઐતિહાસિક રેકોર્ડ પણ તેના નામે કર્યો હતો. હવે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 600 છગ્ગા ફટકારનાર પ્રથમ બેટર બની ગયો છે. 427 મેચોમાં આ સિધ્ધિ તેણે હાંસલ કરી છે. બીજા નંબરે 483 મેચોમાં 553 છગ્ગા સાથે ક્રિસ ગેઇલ છે.
આ સાથે આ મેચમાં રોહિત ટી-20માં 4 હજાર રનનો આંકડો પણ પાર કર્યો હતો. વિરાટ કોહલી બાદ ત્રણે ફોરમેટમાં 4 હજારથી વધુ રન બનાવનાર તે બીજો બેટસમેન બની ગયો છે.
આ ઉપરાંત રોહિત ટી-20માં હવે ભારતનો સૌથી સફળ કેપ્ટન પણ બની ગયો હતો. તેણે ધોનીને પાછળ છોડી દીધો હતો. ધોનીએ 73 મેચોમાં 41 જીત હાંસલ કરી હતી. જયારે રોહિતે 55 ટી-20માં 4ર જીત હાંસલ કરી ધોનીનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.
રોહિતે રચ્યો ઈતિહાસ : ભારતનો સૌથી સફળ T20 કેપ્ટન બન્યો
Leave a comment
Leave a comment